દ્વારકા જગત મંદિર ઇતિહાસ માં પહેલી વખત જન્માષ્ટમી પર બંધ રહેશે.
દ્વારકા,૦૬ ઓગસ્ટ ૨૦૨૦:કોરોનાની મહામારી ને અનુસંધાને દ્વારકા કલેકટર નરેન્દ્રકુમાર મીના દ્વારા મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે, આગામી જન્માષ્ટમી ઉત્સવ ને ધ્યાને લઇ ને દ્વારકા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું જેમાં આગામી ૧૦-૦૮-૨૦૨૦ થી ૧૩-૦૮-૨૦૨૦ સુધી ભક્તો ને દર્શન માટે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
૪ દિવસ દરમ્યાન અંદાજે ૧.૫૦ લાખ થી વધુ જેટલા ભાવિકો એકઠા થવા નાં સંભાવના ને પગલે અને કોરોના સામે સાવચેતી નાં પગલે લેવાયો મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે.