Swami Smarananda: સ્વામી સ્મરણાનંદનું અનંત યાત્રા પર પ્રસ્થાન થી મારું મન પણ કરોડો ભક્તો જેમ જ દુઃખી છે: પ્રધાનમંત્રી
અનંત પ્રસ્થાન પર સ્વામી સ્મરણાનંદ(Swami Smarananda)
લેખકઃ નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી
Swami Smarananda: લોકસભા ચૂંટણીના મહાપર્વની ભાગદોડ વચ્ચે એક એવા સમાચાર આવ્યા, જેણે મન-મસ્તિષ્કમાં થોડી ક્ષણો માટે એક સ્તબ્ધતા લાવી દીધી. ભારતની આધ્યાત્મિક ચેતનાના પ્રખર વ્યક્તિત્વ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજનું સમાધિસ્થ થવું, વ્યક્તિગત ક્ષતિ જેવું છે. થોડા વર્ષો અગાઉ સ્વામી આત્માસ્થાનંદજીનું મહાપ્રયાણ અને હવે સ્વામી સ્મરણાનંદનું અનંત યાત્રા પર પ્રસ્થાન કેટલા લોકોને શોકગ્રસ્ત કરી ગયું છે. મારું મન પણ કરોડો ભક્તો, સંત જનો અને રામકૃષ્ણ મઠ અને મિશનના અનુયાયીઓની જેમ જ દુઃખી છે.
આ મહિનાની શરૂઆતમાં, મારી બંગાળ યાત્રા દરમિયાન મેં હોસ્પિટલ જઈને સ્વામી સ્મરણાનંદજીના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. સ્વામી આત્માસ્થાનંદજીની જેમ જ, સ્વામી સ્મરણાનંદજીએ પોતાનું સમગ્ર જીવન આચાર્ય રામકૃષ્ણ પરમહંસ, માતા શારદા અને સ્વામી વિવેકાનંદના વિચારોના વૈશ્વિક પ્રસારને સમર્પિત કર્યુ. આ લેખ લખતી વેળાએ મારા મનમાં તેમની સાથે થયેલી મુલાકાતો, તેમની સાથે થયેલી વાતો, એ સ્મૃતિઓ જીવંત થઈ રહી છે.
જાન્યુઆરી 2020માં બેલુર મઠના પ્રવાસ દરમિયાન, મેં સ્વામી વિવેકાનંદજીના રૂમમાં બેસીને ધ્યાન કર્યુ હતું. એ યાત્રામાં મેં સ્વામી સ્મરણાનંદજી સાથે સ્વામી આત્માસ્થાનંદજી વિશે ઘણી વાર સુધી વાત કરી હતી.
Srimat Swami Smaranananda ji Maharaj, the revered President of Ramakrishna Math and Ramakrishna Mission dedicated his life to spirituality and service. He left an indelible mark on countless hearts and minds. His compassion and wisdom will continue to inspire generations.
— Narendra Modi (@narendramodi) March 26, 2024
I had… pic.twitter.com/lK1mYKbKQt
આપ જાણો છો કે રામકૃષ્ણ મિશન અને બેલુર મઠની સાથે મારો કેટલો આત્મીય સંબંધ રહ્યો છે. આધ્યાત્મના એક જિજ્ઞાસુ તરીકે, પાંચ દાયકાથી પણ વધુ સમયમાં, હું અલગ-અલગ સંત-મહાત્માઓને મળ્યો છું, અનેક સ્થળોએ રહ્યો છું. રામકૃષ્ણ મઠમાં પણ મને આધ્યાત્મ માટે જીવન સમર્પિત કરનારા જે સંતોનો પરિચય થયો હતો, તેમાં સ્વામી આત્માસ્થાનંદજી તેમજ સ્વામી સ્મરણાનંદજી જેવા વ્યક્તિત્વ મુખ્ય હતા. તેમના પાવન વિચારો અને તેમના જ્ઞાને મારા મનને નિરંતર સંતુષ્ટિ આપી. જીવનના સૌથી મહત્વના કાળખંડમાં આવા જ સંતોએ મને જનસેવા જ પ્રભુસેવાનો સાચો સિદ્ધાંત શીખવ્યો. સ્વામી આત્માસ્થાનંદજી તેમજ સ્વામી સ્મરણાનંદજીનું જીવન, રામકૃષ્ણ મિશનના સિદ્ધાંત ‘આત્મનો મોક્ષાર્થ જગદ્ધિતાય ચ’નું અમિટ ઉદાહરણ છે.
રામકૃષ્ણ મિશન દ્વારા, શિક્ષણના સંવર્ધન અને ગ્રામીણ વિકાસ માટે કરવામાં આવી રહેલા કાર્યોથી આપણને સૌને પ્રેરણા મળે છે. રામકૃષ્ણ મિશન, ભારતની આધ્યાત્મિક ચેતના, શૈક્ષણિક સશક્તીકરણ અને માનવીય સેવાના સંકલ્પ પર કામ કરી રહ્યું છે. 1978માં જ્યારે બંગાળમાં પૂરની આફત આવી, તો રામકૃષ્ણ મિશને પોતાની નિઃસ્વાર્થ સેવાથી સૌનું હૃદય જીતી લીધું હતું. મને યાદ છે, 2001માં કચ્છના ભૂકંપના સમયે સ્વામી આત્માસ્થાનંદ એ સૌપ્રથમ લોકોમાંના એક હતા, જેમણે મને ફોન કરીને એમ કહ્યું કે આફત સંચાલન માટે રામકૃષ્ણ મિશન શક્ય તમામ મદદ કરવા માટે તૈયાર છે. તેમના નિર્દેશોને અનુરૂપ, રામકૃષ્ણ મિશનને ભૂકંપના એ સંકટ કાળમાં લોકોની ખૂબ સહાયતા કરી.
પાછલા વર્ષોમાં, સ્વામી આત્માસ્થાનંદજી અને સ્વામી સ્મરણાનંદજીએ વિવિધ હોદ્દા પર રહીને સામાજિક સશક્તીકરણ પર ખૂબ ભાર મૂક્યો હતો. જેઓ આ મહાન હસ્તીઓના જીવનને જાણે છે તેઓ ચોક્કસપણે યાદ કરશે કે તમારા જેવા સંતો આધુનિક શિક્ષણ, કૌશલ્ય અને મહિલા સશક્તીકરણ પ્રત્યે કેટલા ગંભીર હતા.
સ્વામી આત્માસ્થાનંદજીના મહાન વ્યક્તિત્વની વિશેષતા જેણે મને સૌથી વધુ પ્રભાવિત કર્યો તે દરેક સંસ્કૃતિ અને દરેક પરંપરા પ્રત્યેનો તેમનો પ્રેમ અને આદર હતો. તેનું કારણ એ હતું કે તેમણે ભારતના વિવિધ ભાગોમાં લાંબો સમય વિતાવ્યો હતો અને તેઓ સતત મુસાફરી કરતા હતા. ગુજરાતમાં રહીને તેઓ ગુજરાતી બોલતા શીખ્યા. મારી સાથે પણ તેઓ ગુજરાતીમાં જ વાત કરતા હતા. મને તેમની ગુજરાતી પણ બહુ ગમતી.
ભારતની વિકાસયાત્રાના અનેક તબક્કે, આપણી માતૃભૂમિને સ્વામી આત્માસ્થાનંદજી, સ્વામી સ્મરણાનંદજી જેવા અનેક સાધુ સંતોના આશીર્વાદ મળ્યા છે જેમણે આપણને સામાજિક પરિવર્તનની નવી ચેતના આપી છે. આ સંતોએ આપણને સમાજના કલ્યાણ માટે સાથે મળીને કામ કરવાની દીક્ષા આપી છે. આ સિદ્ધાંતો અત્યાર સુધી શાશ્વત છે અને આવનારા સમયમાં આ વિચારો વિકસિત ભારત અને અમરત્વની સંકલ્પ શક્તિ બનશે.
ફરી એકવાર, સમગ્ર દેશ વતી, હું આવા સંત આત્માઓને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મને વિશ્વાસ છે કે રામકૃષ્ણ મિશન સાથે જોડાયેલા તમામ લોકો તેમના બતાવેલા માર્ગને આગળ વધારશે.
ઓમ શાંતિ.