Fire in the jeep: અંબાજી કોટેશ્વર નાળા પાસે ઘઉં ભરેલી જીપમાં આગ લાગી
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 21 મેઃ Fire in the jeep: વાહનોમાં આગ લાગવાની ઘટના અવારનવાર સાંભળવા મળે છે પરંતુ ગઇકાલે રાત્રી ઘઉં ભરેલી જીપમાં આગ લાગી ગઇ હતી. જી, હાં અંબાજી કોટેશ્વર નાળા પાસે આ દુર્ઘટના બની હતી.
કમાન્ડર જીપ GJ 02 DE 6213 નું ટાયર ફાટતા જીપ(Fire in the jeep) પલ્ટી જતા આગ ભડકી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ અંબાજી મંદિર ટ્રસ્ટ નુ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોય્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, કમાન્ડર જીપ મા ખેરોજ થી ઘઉ ભરી અંબાજી લાવતા રસ્તામા ઘટના બની હતી, જો કે, આ ઘટનામાં કોઇને જાનહાની થઇ નથી. આ દુર્ઘટના વિશે સ્થળ ઉપર જીપ ચાલકે હકીકત જણાવી હતી.
આ પણ વાંચોઃ Excessive Sweating: ઉનાળામાં વધુ પડતો પરસેવો થાય છે? કરો આ 4 ઉપાય, દિવસભર રહેશે તાજી