Paresh Rawal BJP

Paresh raval targets Rahul gandhi: રાહુલ ગાંધી યાત્રામાં ચાલી શકે રાજકારણમાં નહીં, પરેશ રાવલનો કટાક્ષ

Paresh raval targets Rahul gandhi: યાત્રામાં ચાલવા 25000ના બુટ જોઈએ, રાજકારણમાં ચાલવા દિમાગ જોઈએ: પરેશ રાવલ

અમદાવાદ, 29 નવેમ્બર: Paresh raval targets Rahul gandhi: સુરત પૂર્વ બેઠકના પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલને મેદાને ઉતાર્યા હતા. પરેશ રાવલે હિન્દુત્વના મુદ્દાને આગળ કરી કોંગ્રેસ અને આપને બેફામ રીતે આડે હાથ લીધા હતા. બંને પાર્ટીને સખત હિન્દુવિરોધી ગણાવી હતી. જોકે આ બધાની વચ્ચે બોલિવૂડના એક્ટર કલાકાર તરીકે ખ્યાત નામના ધરાવનાર પરેશ રાવલને સાંભળવા કરતા લોકો તેને જોવા અને સેલ્ફી પાડવામાં વધુ મસગુલ રહ્યા હતા.

રાહુલ ગાંધીને આડે હાથ લેતા પરેશ રાવલે કહ્યું કે, તમે જેટલું પણ ફરી લો કોંગ્રેસનું કશું થવાનું નથી. આપણા એક ભાઈ નીકળ્યા છે ભારત જોડો કરવા, તે યાત્રામાં ચાલી શકે, રાજકારણમાં ના ચાલે. યાત્રામાં ચાલવા માટે 25 હજારના બુટ જોઈએ, રાજકારણમાં ચાલવા દિલમાં નીયત જોઈએ અને દિમાગ જોઈએ. બે અઢી હજાર કિલોમીટર ગમે તેટલા ચાલો તેનાથી કાંઈ ફરક ન પડે. મને તો નવાઈ લાગે છે કે કોઈ લેવા દેવા વગર માણસ અઢી હજાર કિલોમીટર ચાલવા નીકળ્યો છે.

તેમણે રાજકીય પાર્ટીઓને પણ આડેહાથ લેતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી તો બોલે છે એ જ ઘણું છે. પૂર્ણ બહુમતથી ભાજપ જીતવાની છે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે એવું પણ કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધીને દગો કરી રહ્યા છે અને તેમની પાસેથી પૈસા લઈને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે.

આ પણ વાંચો: Shraddha murder case update: પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી આફતાબે આપ્યું ચોંકાવનારું નિવેદન

Gujarati banner 01