Katrina kaif said about suhagraat: કેટરીના કૈફે નટખટ અંદાજમાં સુહાગરાતને લઇ કહી આ વાત, આલિયા ભટ્ટને આપ્યુ સમાધાન- વાંચો વિગત
Katrina kaif said about suhagraat: આલિયા ભટ્ટે શેર કર્યું હતું કે લગ્નના દિવસે કપલ્સ એટલા થાકેલા હતા કે તેમના માટે સુહાગરાતનો સમય ન હતો
મનોરંજન ડેસ્ક, 05 સપ્ટેમ્બરઃKatrina kaif said about suhagraat: મનોરંજનથી ભરપુર શો કોફી વિથ કરણ સીઝન 7 ખૂબ પોપુલર થઇ રહ્યો છે. તાજેતરના પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે કેટરીના કૈફ, ઇશાન ખટ્ટર અને સિદ્ધાર્થ ચતુર્વેદી શોમાં આવ્યાં છે. લગ્ન બાદ પહેલી વખત કેટરીના કોઇ શોમાં આવી છે.
કોફી વિથ કરણ 7 ના નવા પ્રોમોમાં સોફા પર બેસી કેટરીના કૈફ સાથે કરણ જોહરને આલિયા ભટ્ટની સુહાગરાત સમસ્યાનું સમાધાન પૂછતા જોવા મળ્યા. કરણ જોહરે કહ્યું કે આલિયા ભટ્ટ પાસે સુહાગરાત માટે સમય નથી.
કરણ જોહરે એટલા માટે કહ્યું કારણ કે કોફી વિથ કરણના એક શોમાં ગેસ્ટ બનીને આવેલી આલિયા ભટ્ટે શેર કર્યું હતું કે લગ્નના દિવસે કપલ્સ એટલા થાકેલા હતા કે તેમના માટે સુહાગરાતનો સમય ન હતો.
કેટરીના કૈફે નટખટ અંદાજમાં એક સારું સમાધાન આપતા કહ્યું કે, આ હંમેશા સુહાગરાત હોવી જરૂરી નથી. આ એક સુહાગ દિવસ પણ હોઇ શકે છે, ‘કેટરીના કૈફનો આ જવાબ સાંભળીને કરણ જોહરે કહ્યું કે આ મને ખૂબ ગમી.
નોંધનીય છે કે, આ એપિસોડૅ 8 સપ્ટેમ્બરે સવારે 12 વાગે Disney+ Hotstar પર સ્ટ્રીમ થશે.
આ પણ વાંચોઃ Britain New PM 2022: બ્રિટનને મળ્યા નવા વડાપ્રધાન, 57.4% મત સાથે વિજયી બન્યા લીઝ ટ્રુસ