Alia bhatt ranvir

Ranbir alia weeding preparations: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની તૈયારી, લગ્નની ખરીદી શરુ- વાંચો વિગત

Ranbir alia weeding preparations: થોડા દિવસો પહેલા રણબીર કપૂરની માતા નીતુ કપૂર સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના સ્ટોર પર જોવા મળી હતી. આટલું જ નહીં, મનીષ નીતુ કપૂરના ઘરે પણ જોવા મળ્યો

બોલિવુડ ડેસ્ક, 29 માર્ચઃ Ranbir alia weeding preparations: સુત્રોથી મળતી વિગતો અનુસાર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ વર્ષે એપ્રિલ મહિનામાં સાત જન્મના સાત ફેરા લઈ શકે છે. બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં જોરદાર ચર્ચા છે કે રણબીર અને આલિયા એપ્રિલ 2022માં લગ્ન કરવા જઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા રણબીર કપૂરની માતા નીતુ કપૂર સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના સ્ટોર પર જોવા મળી હતી. આટલું જ નહીં, મનીષ નીતુ કપૂરના ઘરે પણ જોવા મળ્યો છે. આલિયાના ફેન્સ અત્યારે દ્રઢપણે માની રહ્યા છે કે, કપૂર પરિવાર તેમની પુત્રવધૂને ઘરે લાવવાની જોરશોરથી તૈયારી કરી રહ્યો છે.

અમે તમને જણાવી દઈએ કે, પહેલા એવા સમાચાર હતા કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા છે અને બંને આ વર્ષે ઓક્ટોબર મહિનામાં લગ્ન કરશે, પરંતુ હવે એવું જણાઈ રહ્યું છે કે આ સ્ટાર કપલ ઓક્ટોબરમાં નહીં પરંતુ આગામી મહિને એટલે કે એપ્રિલમાં લગ્ન કરશે.

View this post on Instagram

A post shared by Beena Kannan (@beenaseematti)

તાજેતરમાં સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફેશન ડિઝાઇનર બીના કન્નનને મળ્યા અને એક ફોટો માટે પોઝ આપ્યો હતો. જે જોયા બાદ તેમના ચાહકો કહી રહયા છે કે, વેડિંગ બેલ્સ બહુ જલ્દી વાગશે. ઇન્સ્ટાગ્રામ પર ફેશન ડિઝાઈનર બીનાએ આ બંને કલાકારો સાથેની એક તસવીર શેર કરી હતી, જેના કારણે ચાહકો અનુમાન કરી રહ્યા છે કે શું આ સ્ટાર કપલ ટૂંક સમયમાં લગ્ન કરી રહ્યું છે.

અમે તમને જણાવી દઈએ કે, બીના એક કંપનીની લીડ ડિઝાઇનર છે જે બ્રાઇડલવેરમાં નિષ્ણાત છે. ઇન્સ્ટાગ્રામ પર ગત શુક્રવારે શેયર કરાયેલા ફોટામાં, આલિયાએ ફ્લોરલ પ્રિન્ટવાળા સફેદ આઉટફિટમાં બીનાની બાજુમાં પોઝ આપ્યો હતો. તેણીએ તેના વાળ ઓપન રાખ્યા હતા. જયારે રણબીર કપૂર આલિયાની બાજુમાં નેવી બ્લુ શર્ટ અને ડેનિમમાં ફેશનેબલ લાગી રહ્યો હતો.

આ પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં એક ચાહકે લખ્યું, “શું લગ્નની ઘંટડીઓ વાગી રહી છે?” અન્ય વ્યક્તિએ કહ્યું, “તે લગ્નની ખરીદી જેવું લાગે છે.” અન્ય એક ચાહકે ટિપ્પણી કરી, ” લગ્ન ક્યારે છે?” અન્ય એક યુઝરે લખ્યું કે, ”આલિયા તારી આંખો ખુલ્લી રાખ.”

આ પણ વાંચોઃ New Jio prepaid plan: જીયોએ 30 દિવસની વેલિડિટીવાળો નવો પ્લાન કર્યો લોન્ચ, ડેટા અને કોલિંગનો ફાયદો

અમે તમને જણાવી દઈએ કે, આલિયા અને રણબીર વર્ષ 2017થી રિલેશનશિપમાં છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં આલિયાએ કહ્યું હતું કે, “જ્યારે લોકો મને એક સતત પ્રશ્ન પૂછે છે કે – તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો? સૌપ્રથમ, તે કોઈનો મામલો નથી, અને બીજું, જો તમે મને પ્રામાણિકપણે પૂછો તો, લગ્ન એ મનની સ્થિતિ છે અને મારા સંબંધમાં હું જે શાંતિ અનુભવું છું તેના સંદર્ભમાં હું અનુભવું છું. હું પહેલેથી જ ત્યાં છું. તેથી, ચાલો આગળ વધીએ, અને જ્યારે પણ તે થવાનું છે, તે મારી ઇચ્છાઓ અને તેની ઇચ્છાઓ અનુસાર થશે. લગ્ન એ સમય લેતી બાબત છે.”

તેણીએ આગળ ઉમેર્યું હતું કે, “જો તમે મને પ્રામાણિકપણે પૂછો કે હું ક્યારે લગ્ન કરીશ, તો સારું, મારા મગજમાં હું પહેલેથી જ તેની સાથે લગ્ન કરી ચૂકી છું. જ્યારે મેં તેને પહેલીવાર સ્ક્રીન પર જોયો ત્યારે તે જ દિવસે મેં નક્કી કર્યું કે હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. ત્યારે હું એક મીઠી છોકરી હતી.

Alia Bhatt & Ranbir Kapoor At Bramhastra Movie Promotion Viral Image

તાજેતરમાં, આલિયા અને રણબીર સાથે મળીને તેમની પ્રથમ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું અંતિમ શેડ્યૂલ પૂર્ણ કરવા વારાણસીમાં હતા. શૂટિંગ સ્થળેથી આ સ્ટાર કપલની કેટલીક તસવીરો વાયરલ થઇ હતી. એક તસવીરમાં આલિયા, રણબીર અને ફિલ્મ નિર્માતા અયાન મુખર્જી વારાણસીના એક ઘાટ પર શૂટિંગ કરતા જોવા મળ્યા હતા.

અયાન મુખરજી દ્વારા નિર્દેશિત, ફિલ્મ બ્રહ્માસ્ત્ર છેલ્લા સાત વર્ષથી નિર્માણમાં છે. તે આગામી તા. 09/09/2022ના રોજ સિનેમા થિયેટરોમાં પાંચ ભારતીય ભાષાઓ – હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. જેમાં અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન અક્કીનેની પણ આ ફિલ્મનો એક ભાગ છે.

આ પણ વાંચોઃ Weekly panchang: 3 એપ્રિલ સુધી દરરોજ કોઈ વ્રત કે પર્વ- વાંચો, ખરીદી માટે ચાર ખાસ શુભ મુહૂર્ત વિશે

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.