Kalicharan maharaj arrested

Sant kalicharan maharaj on pathan movie: પઠાન ફિલ્મ પર આ સંતે આપી ધમકી, જાણો શું કહ્યું…

Sant kalicharan maharaj on pathan movie: હિન્દુ ધર્મ વિરુદ્ધ ફિલ્મો બનાવતા કલાકારોને ભિખારી બનાવી દો: સંત કાલીચરણ મહારાજ

નવી દિલ્હી, 19 ડિસેમ્બર: Sant kalicharan maharaj on pathan movie: મહાત્મા ગાંધી પર વિવાદિત નિવેદન આપનાર સંત કાલીચરણ મહારાજ ફરી ચર્ચામાં છે. આ વખતે તેમણે બોલિવૂડ પર નિશાનો સાધ્યું છે અને વિવાદાસ્પદ ફિલ્મોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે.

સંત કાલીચરણે કહ્યું કે ફિલ્મ પઠાણ હોય કે અન્ય કોઈ… આવી ફિલ્મો બનાવનારા નિર્દેશકોને ભિખારી બનાવવાની જરૂર છે. સંત કાલીચરણે કહ્યું કે આવી ફિલ્મોનો બહિષ્કાર કરવો જોઈએ જે ધર્મની વિરુદ્ધ હોય અને આવા ફિલ્મ નિર્માતાઓને ભિખારી બનાવી દેવા જોઈએ.

તેમણે વધુમાં કહ્યું- હું તમામ હિંદુ ભાઈ-બહેનોને આહ્વાન કરું છું કે હિંદુ ધર્મનું અપમાન કરતી તમામ દેશદ્રોહી ફિલ્મોનો સંપૂર્ણ બહિષ્કાર કરો અને તેમને પાઠ ભણાવો કે ધર્મનું અપમાન કરનારાઓને કેવી રીતે સજા કરવામાં આવે છે. કાલીચરણે કહ્યું- પઠાણ હોય કે અન્ય કોઈ ફિલ્મ… આ બધાનો બહિષ્કાર થવો જોઈએ. આવી ફિલ્મો બનાવનારાઓને ભિખારી બનાવી દેવા જોઈએ. તેમના માટે આ સજા છે. ધર્મનું અપમાન કરનારાઓને સજા મળવી જોઈએ.

જણાવી દઈએ કે આ પહેલા ડિસેમ્બર 2021માં સંત કાલીચરણ છત્તીસગઢમાં પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમણે ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જે બાદ છત્તીસગઢની પોલીસે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાંથી સંતની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દીધા હતા. બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: FIFA world cup final 2022: આર્જેન્ટિનાએ 36 વર્ષ પછી જીત્યો વર્લ્ડ કપ…

Gujarati banner 01