Shreyas Talpade will play the role of Atal Bihari: કંગના રણૌતની ફિલ્મ ઈમરજન્સીમાં અટલ બિહારી વાજપેયીનું પાત્ર આ અભિનેતા ભજવશે
Shreyas Talpade will play the role of Atal Bihari: કંગના ખુદ ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે. થોડા દિવસો પહેલાં જાહેરાત થઈ છે કે અનુપમ ખેર જયપ્રકાશ નારાયણનું પાત્ર ભજવશે
મુંબઇ, 29 જુલાઇ : Shreyas Talpade will play the role of Atal Bihari: કંગના રણૌતની ફિલ્મ ઈમરજન્સીમાં અટલ બિહારી વાજપેયીનું પાત્ર તેજસ્વી અભિનેતા શ્રેયસ તળપદે ભજવશે એવી જાહેરાત થઈ છે.
આ ફિલ્મ ૧૯૭૫માં દેશમાં લદાયેલી કટોકટી આસપાસની ઘટનાઓ આધારિત છે. કંગના ખુદ ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે. થોડા દિવસો પહેલાં જાહેરાત થઈ છે કે અનુપમ ખેર જયપ્રકાશ નારાયણનું પાત્ર ભજવવાના છે. હવે એ સમયગાળામાં દેશના રાજકીય સેન્ટર સ્ટેજ પર રહેલા અટલ બિહારી વાજપેયીની ભૂમિકા શ્રેયસ તળપદેને સોંપાઈ છે.
શ્રેયસ તળપદે આજના સમયમાં ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રતિભાશાળી કલાકારમાં ગણાય છે. ઓમ શાંતિ ઓમ જેવી કોમર્શિઅલ ફિલ્મથી માંડીને ડોર અને ઈકબાલ જેવી મુખ્ય ધારાથી અલગ પ્રકારની ફિલ્મ કે પછી કોમેડી ફિલ્મોમાં પણ તેણે પોતાની ક્ષમતા પુરવાર કરી છે.
મુત્સદ્દી છતાં સુકોમળ કવિજીવ એવા વાજપેયીની ભૂમિકા કોઈ પણ અભિનેતા માટે પડકારજનક છે. તેમની વિશિષ્ટ વકતૃત્વ શૈલી લોકોના દિલોદિમાગ પર અંકિત છે. શ્રેયસ સામે એ અદભૂત કથનને જીવંત કરવાનો પડકાર છે.
શ્રેયસે પોતાને આ ભૂમિકા મળી તેનો રાજીપો વ્યક્ત કર્યો છે અને આ તક આપવા માટે કંગનાનો આભાર માન્ય ોછે. કંગના ખુદ આ ફિલ્મની નિર્માતા અને દિગ્દર્શક પણ છે.