CM bhagwant mann wedding

CM bhagwant mann wedding: પંજાબના મુખ્યમંત્રી 48 વર્ષીય ભગવંત માન આજે બીજી વખત લગ્નના બંધનમાં બંધાશે, જાણો કોણ છે તેમની દુલ્હન

CM bhagwant mann wedding: માનના માતા, બહેન, સબંધીઓ અને કેટલાક અન્ય અતિથિઓ આ લગ્ન સમારોહમાં સામેલ થશે

નવી દિલ્હી, 07 જુલાઇઃ CM bhagwant mann wedding:પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે બીજી વખત લગ્નના બંધનમાં બંધાશે. 48 વર્ષીય માનના તેમની પહેલી પત્ની સાથે 2015માં છૂટાછેડા થઈ ગયા હતા. મુખ્યમંત્રીના બે બાળકો છે. આજે તેમના લગ્ન ડોક્ટર ગપરપ્રીત કૌર સાથે થશે. માનના માતા, બહેન, સબંધીઓ અને કેટલાક અન્ય અતિથિઓ આ લગ્ન સમારોહમાં સામેલ થશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ લગ્ન પ્રસંગમાં સામેલ થઈ શકે તેવી શક્યતા છે. 

આજે થનારા ભગવંત માનના બધા સરકારી કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લગ્નનો બધો ખર્ચ ભગવંત માન ઉઠાવશે. ધારાસભ્યોમાંથી કોઈને પણ બુધવાર સાંજ આમંત્રણ નહોતું મળ્યું. સીએમ ઓફિસના કેટલાક અધિકારીઓ આ લગ્ન પ્રસંગમાં સામેલ થશે. 80 મહેમાનો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને લગ્ન સવારે 11:00 વાગ્યે થશે. 

આ પણ વાંચોઃ Aadhaar Card Expiry Rule: આધાર કાર્ડ કેટલા દિવસ રહે છે વેલિડ? જાણો Expiry ને લઈને UIDAI ના આ ખાસ નિયમ વિશે

કોણ છે ગુરપ્રીત કૌર?

32 વર્ષની ગુરપ્રીત કૌર ડોક્ટર છે. તેમણે મહર્ષિ માર્કંડેશ્વર યુનિવર્સિટી, મુલાના, અંબાલાથી એમબીબીએસનો અભ્યાસ કર્યો હતો. તે ત્રણ બહેનોમાંથી સૌથી નાની બહેન છે. બે બહેનો અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં રહે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ એક અરેન્જ મેરેજ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હરપાલ કૌર ગુરપ્રીતના પરિવારને જાણે છે. 

માનના આ બીજા લગ્ન છે. તેમણે પહેલા લગ્ન ઈન્દ્રપ્રીત કૌર સાથે કર્યા હતા. તેનાથી તેમના બે બાળકો છે. તેમની પુત્રી 21 વર્ષીય સીરત કૌર માન અને 17 વર્ષીય પુત્ર દિલશાન માન આ વર્ષે 16 માર્ચના રોજ માન ના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે અમેરિકાથી આવ્યા હતા. 

આ પણ વાંચોઃ About corona booster dose: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કરી મોટી જાહેરાત, કોરોનાના બીજા અને બૂસ્ટર ડોઝ વચ્ચેના સમયગાળાને લઇ કહી આ વાત

Gujarati banner 01