કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની આપી ધમકી, CRPFની મુંબઇ ઓફિસ ખાતે મોકલ્યો હતો આ ધમકીનો મેઈલ
નવી દિલ્હી, 06 એપ્રિલઃ મંગળવારે સીઆરપીએફની મુંબઈ ઓફિસમાં ઈમેઈલ દ્વારા ધમકી મળી છે. મેઇલમાં ધાર્મિક સ્થળ જેવી કોઈ જગ્યાએ હુમલાની વાત કરાઈ છે. સીઆરપીએફ(CRPF) મુખ્યાલયમાં એક ધમકીભર્યો ઈમેઈલ આવ્યા બાદ ગંભીર માહોલ બન્યો છે. CRPFને મળેલા ઇમેઇલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગણતંત્ર દિવસે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તેમની સાથે દેશના પીએમ નરેન્દ્ર મોદી, સરધણા વિધાયક સંગીત સોમ સહિત અનેક મોટા નેતાઓને મારવાની વાત પણ પત્રમાં લખવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં પણ યુપીના સીએમ યોગી આદિત્યનાથને મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ડાયલ 112ના વોટ્સએપ નંબર પર મેસેજમાં કહેવાયું હતું કે 24 કલાકમાં મારી નાખીશું, શોધી શકતા હોવ તો શોધી લો, એકે 47થી 24 કલાકની અંદર મારી નાખીશ. પોલીસે તપાસ કર્યા બાદ આરોપીને આગ્રાથી પકડ્યો હ તો. મેસેજ મોકલનારો કિશોર હતો. ત્યારબાદ તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…