Fire in Shahdara Area Delhi: દિલ્હીમાં 4 માળની ઈમારતમાં ભીષણ આગ, 4 લોકોના મોત નીપજ્યા
Fire in Shahdara Area Delhi: સવારે 05:20 વાગ્યે શાહદરાના શાસ્ત્રી નગર વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી મળી
નવી દિલ્હી, 14 માર્ચઃ Fire in Shahdara Area Delhi: દિલ્હીના શાહદરાના શાસ્ત્રી નગર વિસ્તારમાં ગુરુવારે સવારે એક રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગતાં ગુંગળામણને લીધે બે બાળકો અને એક દંપતી સહિત કુલ 4 લોકોના મોત નીપજ્યાં છે. એક અધિકારીએ જણાવ્યું કે પીડિતોની ઓળખ મનોજ(30), તેમની પત્ની સુમન (28) અને પાંચ તથા ત્રણ વર્ષની બે છોકરીઓ તરીકે થઇ હતી.
#WATCH | Delhi: DCP Shahdara Surendra Chaudhary says, "We received a phone call at Geeta Colony Police Station regarding a major fire in a house at approx 5:30am. Accordingly, local police, fire brigade, ambulance and PCR Vans rushed to the spot. 9 people were rescued and were… https://t.co/OMVHM8KoDf pic.twitter.com/5G2WPfYAE0
— ANI (@ANI) March 14, 2024
પોલીસે કહ્યું કે અમને સવારે 05:20 વાગ્યે શાહદરાના શાસ્ત્રી નગર વિસ્તારમાં ભીષણ આગ લાગવાની માહિતી મળી હતી. આ મામલે ફાયરબ્રિગેડને જાણકારી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ચાર ફાયરબ્રિગેડના વાહનો, એમ્બ્યુલન્સ તથા પીસીઆર વાન ઘટનાસ્થળે મોકલી દેવાઈ હતી.
આ પણ વાંચોઃ Paytm chooses New Bank: paytmને મળ્યો નવો પાર્ટનર, દેશની સૌથી મોટી બેન્કને મળશે કરોડો નવા ગ્રાહક- વાંચો વિગત
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો