Hindu bank employee killed in Kashmir

Hindu bank employee killed in Kashmir: કાશ્મીરમાં વધુ એક હિન્દુ કર્મચારીની હત્યા, આતંકવાદીઓએ બેંક મેનેજરની ગોળી મારી હત્યા કરી

Hindu bank employee killed in Kashmir: કાયર આતંકવાદીઓનો વધુ એક હુમલો, શિક્ષક બાદ હવે બેંક અધિકારીને નિશાન બનાવાયા છે

શ્રીનગર, 02 જૂૂનઃ Hindu bank employee killed in Kashmir:ગુરુવારે આતંકવાદીઓએ કુલગામમાં એક બેંક મેનેજર પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બેંક મેનેજર વિજય કુમારનું મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે વિજય કુમાર રાજસ્થાનનો રહેવાસી હતો. આ પહેલા આતંકવાદીઓએ કુલગામમાં જ એક હિન્દુ મહિલા શિક્ષિકાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

આતંકવાદીઓ ઘાટીમાં હિન્દુ નાગરિકો અને સરકારી કર્મચારીઓને સતત નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં, બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાના વિરોધમાં અને કુલગામમાં એક મહિલા શિક્ષકની હત્યાના વિરોધમાં પણ મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ RBI may tweak loan holders: RBI આપી શકે છે લોન ધારકોને ઝટકો, લોકો ઉપર EMIના બોઝ હજી વધી શકે

કાશ્મીરી પંડિતોએ માંગ કરી હતી કે તમામ સ્થળાંતરિત સરકારી કર્મચારીઓને સલામત સ્થળે પોસ્ટ કરવામાં આવે. કર્મચારીઓને સલામત સ્થળે મુકવામાં આવશે

આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, બુધવારે, વડા પ્રધાનના વિશેષ પેકેજ હેઠળ, જમ્મુ પ્રશાસને કાશ્મીરમાં તૈનાત સ્થળાંતર કરનારાઓ અને જમ્મુ વિભાગના અન્ય કર્મચારીઓને 6 જૂન સુધીમાં ખીણમાં સુરક્ષિત સ્થાનો પર સ્થાનાંતરિત કરવાનો આદેશ પણ જારી કર્યો હતો. આદેશ અનુસાર, કાશ્મીર ડિવિઝનમાં PM પેકેજ હેઠળ તૈનાત લઘુમતી સમુદાયના કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થાનો પર તૈનાત કરવામાં આવશે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Global market update: વૈશ્વિક બજારના નબળા સંકેતો પછી, સ્થાનિક શેરબજાર ગુરુવારે સપાટ ખુલ્યું

Gujarati banner 01