Magician OP sharma passed away: પ્રખ્યાત જાદુગર ઓપી શર્માનું નિધન, ચાહકોમાં શોકની લાગણી
Magician OP sharma passed away: જાદુની દુનિયાના બાદશાહે 49 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
નવી દિલ્હી, 16 ઓક્ટોબરઃ Magician OP sharma passed away: જાણીતા જાદુગર ઓપી શર્માએ દુનિયાને અલવિદા કહી દીધું છે. પોતાના જાદુથી દુનિયાને સ્તબ્ધ કરી દેનાર આ સ્ટાર હવે કાયમ માટે મૌન થઈ ગયા છે. જાદુની દુનિયાના બાદશાહે 49 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. કિડનીની બિમારીને કારણે તેમને કાનપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કોરોનાના સમયથી બીમાર ચાલી રહ્યા હતા.
ઓપી શર્માની જાદુઈ કળાને કારણે તેમના હજારો ચાહકો છે. તેમના અવસાનથી લોકોમાં શોકનો માહોલ છે. લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઓપી શર્માના મૃત્યુ બાદ તેમના પરિવારમાં તેમની પત્ની મીનાક્ષી શર્મા, તેમના ત્રણ પુત્રો પ્રેમ પ્રકાશ શર્મા, સત્ય પ્રકાશ શર્મા અને પંકજ શર્મા અને પુત્રી રેણુ સામેલ છે.
ઓપી શર્માના પરિવારજનોએ જણાવ્યું કે, તેમને બાળપણથી જ જાદુગર બનવાનો શોખ હતો. ઓપી શર્માએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. તેઓ સપાની ટિકિટ પર ચૂંટણી પણ લડી ચૂક્યા હતા.