PM Modi image

વડાપ્રધાન મોદીએ સંબોધન(PM Modi address to nation)માં કરી બે મોટી જાહેરાત, વાંચો સંપૂર્ણ વિગત સાથે જુઓ વીડિયો

નવી દિલ્હી, 07 જૂનઃPM Modi address to nation: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશને સંબોધન કર્યું. 32 મિનિટના આ સંબોધનમાં તેમણે બે મોટી જાહેરાત કરી છે. પ્રથમ તમામ રાજ્યોને હવે કેન્દ્ર તરફથી ફ્રી વેક્સિન આપવામાં આવશે. રાજ્યોએ હવે આ માટે કોઈ જ ખર્ચ કરવો પડશે નહિ. બીજી મહત્વની જાહેરાત એ કરાઈ કે દેશના 80 કરોડ ગરીબ લોકોને નવેમ્બર સુધી એટલે કે દિવાળી સુધી ફ્રીમાં રેશન આપવામાં આવશે.

PM મોદીના સંબોધન(PM Modi address to nation)માં કરી આ મહત્વની વાત…..

  • એક સારી વાત એ રહી કે સમય રહેતા રાજ્ય પુનર્વિચારની માંગ સાથે ફરી આગળ આવ્યા. રાજ્યોની આ માંગ પર અમે પણ વિચાર્યું કે દેશવાસીઓને તકલીફ ન હોય. સારી રીતે તેમનુ વેક્સિનેશન થાય. આ કારણે 16 જાન્યુઆરીથી એપ્રિલના અંત વાળી વ્યવસ્થાને ફરીથી લાગુ કરવામાં આવે. આજે એ નિર્ણય કરવામાં આવ્યો કે રાજ્યોની પાસે વેક્સિનેશન સાથે જોડાયેલુ 25 ટકા કામ હતુ, તેની જવાબદારી ભારત સરકાર ઉઠાવશે. આ વ્યવસ્થા બે સપ્તાહમાં લાગુ કરવામાં આવશે.
  • એપ્રિલ અને મે મહિનામાં ઓક્સિજનની માગમાં અકલ્પનીય વધારો નોંધાયો હતો. ભારતમાં એકસાથે આટલા ઓક્સિજનના જથ્થાની આ પ્રકારની અછત સર્જાઈ નહોતી. જેના પરિણામે ઓક્સિજનની અછતને સંતોષવા માટે યુદ્ધ સ્તર પર કામ હાથ ધરી દેવામાં આવ્યું હતું. સરકારના તમામ તંત્ર પણ કામગીરીમાં લાગી ગયા હતા. ઓક્સિજન રેલવે, એરફોર્સ, નેવીને પણ કામગીરીમાં લગાડવામાં આવ્યા હતા. ગણતરીના સમયગાળામાં લિક્વિડ ઓક્સિજનના ઉત્પાદનમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો હતો.
  • દુનિયાના ખુણે-ખુણેથી ઉપલબ્ધ કરાવવા માટે કોશિશો હાથ ધરાઈ હતી. આવશ્યક દવાઓના ઉત્પાદનમાં પણ જંગી વધારો કરવામાં આવ્યો હતો. વિદેશોમાંથી પણ દવાઓની આયાત કરીને દેશની માગ પૂરવામાં આવી હતી. કોરોના મહામારી જેવા અદૃશ્ય અને રૂપ બદલતા શત્રુને નાથવા માટે કોવિડ પ્રોટોકોલ જ સૌથી મોટું હથિયાર છે. માસ્ક, સામાજિક અંતર અને અન્ય ગાઈડલાઈનને અનુસરીને સતર્ક રહેવું જોઈએ.
  • લડાઈમાં વેક્સિન સુરક્ષા કવચની માફક છે. સમગ્ર વિશ્વમાં વેક્સિન તૈયાર કરનારી કંપનીઓ મર્યાદિત છે. અત્યારે આપણી પાસે ભારતમાં બનેલી વેક્સિન ન હોત તો શું સ્થિતિ સર્જાઈ હોત. છેલ્લા 50-60 વર્ષનો ઈતિહાસ જોવામાં આવે તો જાણવા મળે છે કે ભારતે વિદેશોમાંથી વેક્સિન પ્રાપ્ત કરવામાં દાયકાઓનો સમય લાગ્યો હતો. વેક્સિનનું કામ પૂરું થઈ ગયું હોવા છતાં આપણા દેશમાં વેક્સિનેશનનું કામ શરૂ થઈ શકતું ન હતું. પોલિયો, સ્મોલ પોક્સ, હિપેટાઈટીસ બીની વેક્સિન માટે દેશવાસીઓએ દાયકાઓ સુધી રાહ જોવી પડી હતી.
  • 2014માં દેશવાસીઓએ અમને સેવાની તક આપી ત્યારે ભારતમાં વેક્સિનેશનનું કવરેજ ફક્ત 60 ટકા આસપાસ હતુ. અમારી નજરમાં આ ચિંતાની બાબત હતી. જે ઝડપથી ભારતમાં વેક્સિનેશન કાર્યક્રમ ચાલતો હતો તેને જોતા 40 વર્ષનો સમય લાગ્યો હોત. અમે આ સમસ્યાના સમાધાન માટે મિશન ઈન્દ્રધનુષ લોંચ કર્યું હતું. અમે નક્કી કર્યું છે કે આ મિશનના માધ્યમથી યુદ્ધસ્તર પર વેક્સિનેશન કરવામાં આવશે અને દેશમાં જેમને પણ વેક્સિનેશનની જરૂર છે તેને વેક્સિન આપવાનો પ્રયત્ન થશે. અમે મિશન મોડ પર કામ કર્યું છે.
PM Modi address to nation
  • આપણે 5-7 વર્ષમાં જ વેક્સિનેશનને 60% થી વધારીને 90% સુધી પહોંચાડી દીધું. આપણે વેક્સિનેશની સ્પીડ અને તેના વ્યાપને વધારી દીધો. બાળકોને ઘણી જીવલેણ બીમારીથી બચાવવા માટે નવી રસિને અભિયાનનો ભાગ બનાવાયો. અમને દેશના બાળકોની ચિંતા હતી, ગરીબોની ચિંતા હતી, ગરીબ બાળકોની ચિંતા હતી, જેઓને ક્યારેય રસિ અપાઈ જ ન હતી. અમે યોગ્ય રીતે આગળ વધી રહ્યા હતા ત્યારે જ કોરોના વાઈરસે આપણને ઘેરી લીધું.
  • દેશ જ નહીં વિશ્વ સામે પણ જૂની આશંકાઓ હતી કે ભારત તેના લોકોને કેવી રીતે બચાવી શકશે. જ્યારે તમારી નીયત સાફ અને સ્પષ્ટ હોય, નિરંતર પરિશ્રમ હોય ત્યારે પરિણામ મળે છે. દરેક આશંકાને બાજુમાં રાખીને ભારતે એક વર્ષમાં જ બે મેડ ઈન વેક્સિન લોન્ચ કરી દીધી છે.
  • આપણાં દેશોના વૈજ્ઞાનિકોએ દેખાડી દીધું છે કે, ભારત મોટા-મોટા દેશોથી પાછળ નથી. આજે જ્યારે હું આ વાત કરી રહ્યો છું ત્યારે 23 કરોડથી વધારે વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. આપણાં ત્યાં કહેવામાં આવ્યું છેકે, ‘વિશ્વાસેન સિદ્ધિ’ એટલે કે આપણાં પ્રયત્નોથી સફળતા ત્યારે મળે છે જ્યારે આપણને આપણાં પર વિશ્વાસ હોય. અમને વિશ્વાસ હતો કે આપણાં વૈજ્ઞાનિકો બહુ જઓછા સમયમાં વેક્સિન બનાવવામાં સફળતા મેળવી લેશે. આ વિશ્વાસના કારણે, જ્યારે આપણાં વૈજ્ઞાનિકો તેમનું રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે જ અમે પણ અમારી તૈયારી કરી લીધી હતી.
PM Modi address to nation
  • ગયા વર્ષે એપ્રિલમાં જ્યારે કોરોનાના અમુક કેસ હતા ત્યારે જઅમે વેક્સિન ટાસ્ક ફોર્સ બનાવી દીધી હતી. ભારત વેક્સિન બનાવનાર દરેક કંપનીઓને સપોર્ટ કરે છે. વેક્સિન નિર્માતાઓને ક્લીનિકલ ટ્રાયલમાં મદદ કરવામાં આવી છે. રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે જરૂરી ફંડ પણ આપ્યું છે. દરેકસ્તર પર સરકાર તેમના ખભાથી ખભો મેળવીને ચાલી રહ્યા છે. આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મિશન કોવિડ સુરક્ષા દ્વારા હજારો કરોડની ફાળવણી કરવામાં આવી છે. છેલ્લાં કેટલાક સમયથી દેશ સતત જે પ્રયત્નો કરી રહ્યા છે તેના કારણે આવનાર સમયમાં વેક્સિન સપ્લાય વધવાનો છે.
  • સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ગરીબો માટે પણ એક મહત્વની જાહેરાત કરી છે. વડાપ્રધાને કહ્યું છે કે, કોરોના સંકટમાં પણ ગરીબોને મફત રેશન આપવામાં આવ્યું હતું. સરકારે હવે ફરી નિર્ણય કર્યો છે કે, આ વર્ષે દિવાળી સુધી એટલે કે નવેમ્બર સુધી ગરોબીને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફતમાં રેશન આપવામાં આવશે.

આ પણ વાંચો….

ગુજરાતના આ વિસ્તારોમાં હજુ ચાર દિવસ સુધી રહેશે વરસાદી(Rain) માહોલ, હવામાન વિભાગે કરી આગાહી