PM Modi on EVM Judgement: ઈવીએમ અને વીવીપેટ પર સુપ્રીમ કોર્ટના વિપક્ષ પર કરારા તમાચા, પીએમ મોદીએ શું કહ્યુ..
PM Modi on EVM Judgement: બિહારના અરરિયામાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, ‘આજે (26મી એપ્રિલ) સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે બેલેટ પેપરનો યુગ પાછો નહીં આવે.
નવી દિલ્હી, 27 એપ્રિલઃ PM Modi on EVM Judgement: ઈવીએમ અને વીવીપેટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આજે (26મી એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. બિહારના અરરિયામાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, ‘આજે (26મી એપ્રિલ) સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે બેલેટ પેપરનો યુગ પાછો નહીં આવે. આજે મતપેટીઓ લૂંટનારાઓને જડબાતોડ જવાબ મળ્યો છે. જ્યારે આખી દુનિયા ભારતની સિસ્ટમના વખાણ કરી રહી છે, ત્યારે આ લોકો હવે અંગત સ્વાર્થમાં ખરાબ ઈરાદા સાથે ઈવીએમને બદનામ કરવામાં લાગ્યા છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આજે લોકશાહી માટે ખુશીનો દિવસ છે. અગાઉ આરજેડી અને કોંગ્રેસના શાસનમાં બેલેટ પેપરના નામે લોકોના અધિકારો લૂંટવામાં આવ્યા હતા. તેમની સરકારમાં ચૂંટણીમાં મત લૂંટાય છે. એટલા માટે તેઓ ઈવીએમને હટાવવા માગે છે. I.N.D.I.A. ગઠબંધનના દરેક નેતાએ ઈવીએમ અંગે લોકોના મનમાં આશંકા પેદા કરવાનું પાપ કર્યું છે. સુપ્રીમ કોર્ટે લોકોને આ રીતે ફટકાર લગાવી હતી. વિપક્ષે માફી માગવી જોઈએ.’
આ પણ વાંચો:- Streedhan: સુપ્રીમ કોર્ટે સ્ત્રી ધન બાબતે આપ્યો મહત્વનો નિર્ણય, કહ્યું- સ્ત્રી ધન પર પતિ કે સાસરિયાંનો હક નથી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આજે જ્યારે આખી દુનિયા ભારતની લોકશાહી, ભારતની ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણીમાં ટેક્નોલોજીના ઉપયોગના વખાણ કરે છે ત્યારે આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ઈવીએમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓએ લોકશાહી સાથે દગો કરવાનો સતત પ્રયાસ કર્યો છે. ચૂંટણી વખતે તમામ લોકોએ મતદાન કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આજે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા મતની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજી પર મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે અને સૂચવ્યું હતું કે ચૂંટણી પંચે ભવિષ્યમાં વીવીપેટ સ્લિપમાં બાર કોડ પર પણ વિચાર કરવો જોઈએ. આ સાથે બેલેટ પેપરથી મતદાન કરાવવાની માગ પણ ફગાવી દેવામાં આવી હતી.
जंगलराज के दौर को याद कर बिहार के लोग आज भी सिहर उठते हैं। अररिया और सीमांचल के मेरे परिवारजन नौकरी के बदले जमीन लिखवाने वाली परिवारवादी पार्टियों को सबक सिखाने का मन बना चुके हैं।https://t.co/RO64wqNJk7
— Narendra Modi (@narendramodi) April 26, 2024
સુપ્રીમકોર્ટે તેના ચુકાદામાં વધુમાં કહ્યું કે, ‘ચૂંટણીના પરિણામ આવી ગયાના સાત દિવસ સુધીમાં ઉમેદવારો તપાસની માગ કરી શકશે અને તેના માટે જે કંઈ ખર્ચ આવશે તો તે ઉમેદવારે ભોગવવાનો રહેશે.’ આ સાથે સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, ‘વીવીપેટની તમામ સ્લિપ સાથે ઈવીએમને મેચ નહીં કરવામાં આવે.’
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો