Pramod Yadav Murder: ત્રણ બદમાશોએ ઉત્તરપ્રદેશમાં ભાજપ નેતાની ગોળી મારી હત્યા કરી- વાંચો વિગત
Pramod Yadav Murder: જૌનપુરમાં ભાજપના જિલ્લા મંત્રી પ્રમોદ યાદવ સવારે લગભગ દસ વાગ્યે તેમની કારમાં ઘરેથી નીકળ્યા, ત્યારે જ ગોળી મારી
નવી દિલ્હી, 07 માર્ચઃ Pramod Yadav Murder : ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ભાજપના જિલ્લા મંત્રી પ્રમોદ યાદવ સવારે લગભગ દસ વાગ્યે તેમની કારમાં ઘરેથી નીકળ્યા હતા. જ્યારે તે રાયબરેલી-જૌનપુર રોડ પર ગામના વળાંક પાસે પહોંચ્યો કે તરત જ એક બાઈક પર સવાર ત્રણ બદમાશોએ તેને ગોળી મારી દીધી. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચોઃ Upcoming IPO: રોકાણકારો પાસે પૈસા કમાવવાની તક, વધુ એક કંપનીનો આઈપીઓ માર્કેટ- વાંચો વિગત
આ ઘટના બાદ જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. જૌનપુર જિલ્લામાં વિવિધ સ્થળોએ ચેકિંગ ચાલી રહ્યું છે. ભાજપના નેતાને ગોળી મારનાર બદમાશોની શોધખોળ ચાલી રહી છે.