Pramod Yadav Murder

Pramod Yadav Murder: ત્રણ બદમાશોએ ઉત્તરપ્રદેશમાં ભાજપ નેતાની ગોળી મારી હત્યા કરી- વાંચો વિગત

Pramod Yadav Murder: જૌનપુરમાં ભાજપના જિલ્લા મંત્રી પ્રમોદ યાદવ સવારે લગભગ દસ વાગ્યે તેમની કારમાં ઘરેથી નીકળ્યા, ત્યારે જ ગોળી મારી

નવી દિલ્હી, 07 માર્ચઃ Pramod Yadav Murder : ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ભાજપના જિલ્લા મંત્રી પ્રમોદ યાદવ સવારે લગભગ દસ વાગ્યે તેમની કારમાં ઘરેથી નીકળ્યા હતા. જ્યારે તે રાયબરેલી-જૌનપુર રોડ પર ગામના વળાંક પાસે પહોંચ્યો કે તરત જ એક બાઈક પર સવાર ત્રણ બદમાશોએ તેને ગોળી મારી દીધી. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચોઃ Upcoming IPO: રોકાણકારો પાસે પૈસા કમાવવાની તક, વધુ એક કંપનીનો આઈપીઓ માર્કેટ- વાંચો વિગત

આ ઘટના બાદ જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. જૌનપુર જિલ્લામાં વિવિધ સ્થળોએ ચેકિંગ ચાલી રહ્યું છે. ભાજપના નેતાને ગોળી મારનાર બદમાશોની શોધખોળ ચાલી રહી છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો