Rohit Sardana: જાણીતા ટીવી ન્યૂઝ રીડર રોહિત સરદનાનું હાર્ટએટેકથી નિધન

Rohit Sardana: ગઈકાલ રાત્રે તેની તબિયત અચાનક ખરાબ થઈ અને તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો.

નવી દિલ્હી, 30 એપ્રિલઃ Rohit Sardana: આજતક ટેલિવિઝન ન્યૂઝ ચેનલના ન્યૂઝ રીડર રોહિત સરદાના(Rohit Sardana) નું હાર્ટએટેક ને કારણે નિધન થયું છે. અમુક દિવસ અગાઉ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તે હોમ આઇસોલેશન માં હતો. ગઈકાલ રાત્રે તેની તબિયત અચાનક ખરાબ થઈ અને તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. વહેલી સવારે તેનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થયું અને રોહિતે(Rohit Sardana) અંતિમ શ્વાસ લીધા. નોંધનીય છે કે રોહિતનું અવસાન હાર્ટ એટેક આવવાથી થયું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે ટ્વિટર દ્વારા રોહિત સરદના(Rohit Sardana)ને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત એક જાણીતી ન્યુઝ ચેનલના એન્કર સુધીર ચૌધરીએ પણ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપતા મિત્ર(Rohit Sardana)ને ગુમાવવાનું દુખ વ્યક્ત કર્યું હતું.

Rohit Sardana

આ પણ વાંચો….

અહમદનગરના સાંસદ પાસે 10000 રેમડેસિવિર (Remdesivir) ઇન્જેક્શન આવ્યા ક્યાંથી? બોમ્બે હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા…વાંચો શું છે મામલો

Rohit Sardana