ambaji gold

Ambaji Gold doner navneet shah: અંબાજી મંદિર ને નવનીતભાઈ શાહ છેલ્લા 20 એક વર્ષ થી દર ભાદરવી પૂનમે એક કિલો સોનુ ભેટ માં આપે છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૦ સપ્ટેમ્બર
: Ambaji Gold doner navneet shah: યાત્રાધામ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને આજે ભાદરવી પૂનમ ના દિવસે રૂપિયા 24 લાખ થી ઉપરાંત નુ 500 ગ્રામ સોનુ દાન માં મળ્યું છે અમદાવાદ ના એક દાતા નવનીતભાઈ શાહ છેલ્લા વિસ એક વર્ષ થી દર ભાદરવીપૂનમે એક કિલો સોનુ ભેટ માં આપે છે

Ambaji Gold doner navneet shah

જે આ વખતે 500 ગ્રામ સોનુ લઈ અંબાજી મંદિરે પહોંચતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટદાર દ્વારા તેમનું સ્વાગત કરાયુ હતું અને દાતા સહીત તેમના પરિવાર ને ગર્ભગૃહ માં માતાજી ના દર્શાનર્થે લઈ જવાયા હતા જ્યાં 500 ગ્રામ સોનુ માતાજી ના ચરણો માં ધારાવાયું હતું અને પૂજારી દ્વારા દાતા નું કુમકુમ તિલક કરી આશીર્વાદ અર્પણ કરાયા હતા

Ambaji Gold doner navneet shah

આ 500 ગ્રામ સોનુ દાતાએ અંબાજી મંદિર ને સુવર્ણમય બનાવાની કામગીરી માટે મંદિર ના વહીવટદાર એસજે ચાવડા ને સુપ્રત કર્યું હતું અને અંબાજી મંદિર વહેલી તકે સુવર્ણયમય બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો…Banaskantha Police District: અંબાજી મંદિર ના શિખરે બનાસકાંઠા પોલીસ જિલ્લા દ્વારા માતાજી ને 51 ઘજ ની ધજા ચઢાવી હતી

Whatsapp Join Banner Guj