Crassula Plant Tips

Crassula Plant Tips: ફક્ત મની પ્લાન્ટ જ નહીં, આ છોડ ઘરમાં રાખવાથી પણ વરશે છે લક્ષ્મીજીની કૃપા- વાંચો વિગત

Crassula Plant Tips: ક્રાસુલા છોડને વાસ્તુમાં ખૂબ જ ચમત્કારી છોડ માનવામાં આવે છે. આ છોડ લગાવતા જ ઘરમાં સકારાત્મક ઉર્જા અને પૈસા બંને આકર્ષાય છે

વાસ્તુ ડેસ્ક, 08 ઓક્ટોબરઃCrassula Plant Tips: ઘણા લોકો ઘરની આર્થિક તંગીથી પરેશાન છે. તે જ સમયે, કેટલાક લોકો ફરિયાદ કરે છે કે પૈસા આવે છે, પરંતુ પાણીની જેમ વહી જાય છે. વાસ્તુશાસ્ત્રમાં આનું કારણ વાસ્તુ દોષ માનવામાં આવે છે. વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે અને તેના કારણે આવી ઘટનાઓ બનવા લાગે છે. સાથે જ ઘરના લોકોને પણ આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

ક્રાસુલા છોડને વાસ્તુમાં ખૂબ જ ચમત્કારી છોડ માનવામાં આવે છે. આ છોડ લગાવતા જ ઘરમાં સકારાત્મક ઉર્જા અને પૈસા બંને આકર્ષાય છે. ઘર સિવાય તમે આ છોડને તમારી ઓફિસ, દુકાન કે કાર્યસ્થળ વગેરેમાં પણ લગાવી શકો છો. જાણો દિલ્હીના આચાર્ય ગુરમીત સિંહ જી પાસેથી ક્રાસુલા પ્લાન્ટના ફાયદા અને તેને લગાવવાની સાચી દિશા વિશે.

આ પણ વાંચોઃ Cow hit the Vandebharat train: વંદેભારત ટ્રેનનો સતત બીજા દિવસે અકસ્માત, આણંદ જંકશન નજીક ગાય સાથે અકસ્માત નડ્યો- વાંચો વિગત

ક્રાસુલા પ્લાન્ટના ફાયદા

● ક્રાસુલા છોડને જેડ ટ્રી, લકી ટ્રી અને મની ટ્રી પણ કહેવામાં આવે છે.
● ક્રાસુલા છોડ સકારાત્મક ઉર્જા આકર્ષે છે.
● જો તમે આ છોડને કાર્યસ્થળ પર રાખો છો, તો વ્યવસાયમાં પ્રગતિ થશે અને નોકરીમાં પ્રમોશનની સંભાવના પણ વધે છે.
● વાસ્તુમાં આ છોડને પૈસા આકર્ષવા વાળુ કહેવામાં આવ્યું છે, તેથી આ છોડને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે.
● ક્રાસુલા છોડ ધન સંચય અને સંપત્તિ વધારે છે.

ક્રાસુલા પ્લાન્ટ લગાવવા માટે યોગ્ય દિશા

● જો યોગ્ય દિશામાં રોપવામાં આવે તો ક્રાસુલા છોડ શુભ ફળ આપે છે અને તે ભાગ્યશાળી સાબિત થાય છે.
● તમે ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુએ ક્રાસુલા પ્લાન્ટ લગાવી શકો છો.
● તમે આ છોડને ઘરની અંદર કે બહાર ગમે ત્યાં લગાવી શકો છો.
● બાલ્કનીમાં ક્રાસુલા પ્લાન્ટ લગાવવાથી પણ ધન લાભ થાય છે.

આ પણ વાંચોઃ Kuldeep Singh Raulji join Congress: કુલદીપસિંહ રાઉલજીએ BJP છોડી કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યો, પછી ભાજપ કર્યા આકરા પ્રહાર

Gujarati banner 01