Stambheshwar mahadev

Stambheshwar mahadev: દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે આ શિવ મંદિર, જાણો ગુજરાતમાં આવેલા આ મંદિર વિશે

Stambheshwar mahadev: આ વિખ્યાત તીર્થ વિશે શ્રી મહાશિવપુરાણની રૂદ્ર સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે અનુસાર આ મંદિર ભગવાન શિવના કાર્તિકેયએ બનાવ્યું હતું

ધર્મ ડેસ્ક, 16 ઓગષ્ટઃ Stambheshwar mahadev: આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. આજે સોમવાર સોમવારના દિવસે એક એવા શિવ મંદિર વિશે જણાવીએ જે દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે. મંદિરના આ પ્રકારે ડૂબવાથી અને ડૂબ્યા બાદ ફરી પ્રગટ થવાની ઘટનાને જોવા વિદેશથી પણ પર્યટકો આવે છે. આ મંદિર ગુજરાતના વડોદરા શહેરની પાવે કાવી-કંબોઇના નામે ગામમાં છે.

આ પણ વાંચોઃ Mosquito-borne disease case: શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ‌વધતા, ચિકનગુનિયા, મેલિરિયા, ડેન્ગયુ કેસમાં વધારો…વાંચો વિગત

આ પ્રાચીન મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને ભગવાનના દર્શન કરવા માટે સમુદ્રના જળસ્તરના ઘટવાની રાહ જોવી પડે છે. સમુદ્રમાં આવનાર ભરતી-ઓટના દિવસોમાં 2 વાર આ મંદિરને પોતાના જળમાં સમાહિત કરી લે છે અને થોડીવાર પછી ફરીથી શિવલિંગ જોવા મળે છે. આ મંદિર અરબ સાગરના બીચ કેમ્બે તટ પર બનેલું છે.

આ પણ વાંચોઃ Indian Idol 12 Winner: સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલના વિનરનું નામ લીક થવાના કરાઈ રહ્યો છે દાવો સામે આવ્યો- વાંચો શું છે મામલો?

સ્તંભેશ્વર મહાદેવ(Stambheshwar mahadev) મંદિર નામે જાણિતું આ વિખ્યાત તીર્થ વિશે શ્રી મહાશિવપુરાણની રૂદ્ર સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે અનુસાર આ મંદિર ભગવાન શિવના કાર્તિકેયએ બનાવ્યું હતું. શિવ ભક્ત તાડકારસુરનો વધ કર્યા બાદ કાર્તિકેય બેચેન હતા, ત્યારે પોતાના પિતા કહેવા પર તેમણે તાડકાસુરના વધ સ્થળ પર આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરનું શિવલિંગ લગભગ 4 ફૂટ ઉંચું અને 2 ફૂટ પહોળું છે. મંદિરની આ ચમત્કારિક ઘટના ઉપરાંત સુંદર અરબ સાગરનો નજારો પણ અહીં જોવા મળે છે.

Whatsapp Join Banner Guj