C.R.Patil’s controversial statement: જ્ઞાનવ્યાપી મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું નિવેદન,દરેક મંદિર પાસે મસ્જિદ કેમ નીકળે છે
C.R.Patil’s controversial statement: સી.આર પાટીલ દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદનને પગલે રાજકારણ ગરમાયુ
ગાંધીનગર, 19 મેઃ C.R.Patil’s controversial statement: ગુજરાતમાં જ્ઞાનવ્યાપીના મુદા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલએ એક મહત્વનું નિવેદન આપ્યું છે સી.આર પાટીલએ નિવેદન આપતા વિવાદ છેડાયો છે સીઆર પાટીલએ કહ્યું છે કે “દરેક મંદિર મંદિર નજીકથી શા માટે મંદિર નીકળે છે,મામલો કોર્ટમાં છે એટલે કઈ પણ કેહવું યોગ્ય નથી તેવામાં તેમના નિવેદનને પગલે રાજકારણ ગરમાયુ છે.
સીઆર પાટીલ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે દરેક મંદિરની પાસે મસ્જિદ નીકળે છે અને મસ્જિદ પાસે મંદિર નીકળે છે તેવામાં કોઈકના કોઈક ઝુલ્મખોર શાસકો દ્વારા હિન્દૂ ધર્મની ભાવનાઓને નુકશાન કરવાનો પ્રયાસ કર્યો હશે અને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તે ધીમે ધીમે બહાર આવી રહ્યું છે અને ઉજાગર થઇ રહ્યું છે.
સીઆર પાટીલ દ્વારા આ નિવેદન આપવાને કારણે રાજકારણ ગરમાયુ હતું અને હાલમાં ચાલી રહેલા જ્ઞાન વ્યાપીના વિવાદને છેડ્યો હતો
જોકે આ નિવેદનને લઈને કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે આ બધા મુદ્દાઓ ચૂંટણીના સમય દરમિયાન જ આવી રહી છે તેવામાં આ બધી તપાસ કરનાર એજન્સીઓ સામે પણ તપાસ થવી જોઈએ અને દરેક બાબતોની તપાસ કરવી જોઈએ.
(સોર્સઃ ન્યુઝ સર્ચ)