Adhyatam vidhya mandir image

Basic religious knowledge: ઘણા લોકો પ્રશ્ન કરે છે, ‘સ્વામીજી ! લોકો આપઘાત કેમ કરતા હશે ?

મૂળભૂત ધર્મનું જ્ઞાન (Basic religious knowledge)

પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી: (Basic religious knowledge)માનવધર્મ એટલે જે સર્વસામાન્ય છે તેવાં જીવનનાં મૂળભૂત મૂલ્યો. મારા, તમારા, સૌના જીવનને જે મૂલ્યો ધારણ કરે છે એનું નામ ધર્મ. આ ધર્મનું આપણને જ્ઞાન છે કે નહીં ?

અમદાવાદ, 21 નવેમ્બર: Basic religious knowledge: ધારો કે કોઈને કેળવણી મળી જ ન હોય તો તે પોતાના જીવનમાં મૂલ્યોનું પાલન કરી શકે કે નહીં ? જે લોકો પાઠશાળામાં ગયા હોય અને જેમણે ધર્મશાસ્ત્રનું અધ્યયન કર્યું હોય તે લોકોને જ ધર્મનું જ્ઞાન હોય એવું આવશ્યક ખરું ? એવું ખરું કે જે લોકો અભણ હોય તેમને ધર્મનું જ્ઞાન ન જ હોય અને તો તેમના જીવનમાં ધર્મ ન જ હોઈ શકે ?

ના, એવું નથી. આપણે તો જીવનના મૂળભૂત ધર્મની વાત કરીએ છીએ, જેનું દરેકેદરેક મનુષ્યને સહજ રીતે જ્ઞાન હોય છે.

મારે જીવવું છે. જીવન માટે મને સ્વાભાવિક પ્રેમ છે અને તેથી હું જાણું છું કે પ્રત્યેક જીવંત વ્યક્તિને કે જંતુને પણ જીવવું છે. પોતાના જીવન માટે તેને સ્વાભાવિક પ્રેમ છે. શું આપણને ખબર નથી કે મચ્છર-માંકડને પણ જીવવાની ઇચ્છા છે ? મને જેમ જીવન પ્રિય છે તેમ તેને પણ તેનું જીવન પ્રિય છે. આપણને સૌને આ જ્ઞાન છે જ.

‘તો પછી’, ઘણા લોકો પ્રશ્ન કરે છે, ‘સ્વામીજી ! લોકો આપઘાત કેમ કરતા હશે ?’

આ વાત સમજવા માટે આપણે બીજી એક શરત સમજવી પડે અને તે એ કે મનુષ્યને જીવન તો પ્રિય છે પરંતુ તેને સુખેથી જીવવું છે. સુખ માટે પણ પ્રાણીને સ્વાભાવિક પ્રેમ હોય છે અને તેથી જ્યારે મનુુષ્યને એમ લાગે કે એના જીવનમાં સુખની કોઈ આશા છે જ નહીં, આશાનું કોઈ કિરણ પણ એના જીવનમાં નથી એવો ર્નિણય એના મનમાં જન્મે તો પછી તે પોતાના જીવનનો અંત આણવા માગે તે શક્ય છે, કારણ કે જીવનના અંતમાં એને દુઃખની નિવૃત્તિ દેખાતી હોય છે અને તેથી તે આપઘાત કરવા પ્રેરાતો હોય છે. સુખ ભલે ન મળે પણ મૃત્યુથી સર્વ દુઃખનો અંત આવી જશે એવી (ગેર)સમજથી પ્રેરાઈને માણસ આપઘાત કરતો હોય છે.

આ પણ વાંચો: Never do these things while sleeping time: ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા સૂતી વખતે કરો આ કામ- વાંચો આ વાસ્તુ ટિપ્સ

અર્થાત્‌ પ્રત્યેક પ્રાણીને જીવવું છે અને સુખેથી જીવવું છે. આ વસ્તુ કોઈએ પણ મને શિખવાડવી પડતી નથી. આના ઉપર જ બધાં મૂલ્યો – અહિંસા, સત્ય ઇત્યાદિ રચાયેલાં છે. આ છે માનવની મૂળભૂત ઝંખના જેને ધ્યાનમાં રાખીને શાસ્ત્ર મૂલ્યોનો ઉપદેશ કરતું હોય છે. આ સર્વસામાન્ય ધર્મ છે. સર્વ સંપ્રદાયો આ સર્વસામાન્ય મૂલ્ય પર જ રચાયેલા છે. અહિંસા સામાન્ય ધર્મ છે, કારણ કે મને હિંસા પ્રિય નથી અને તેથી હું જાણું છું કે કોઈને પણ મારાથી ઈજા પહોંચે તે તેને પણ સ્વીકાર્ય નહીં હોય અને તેથી અહિંસા એ સ્વાભાવિક ધર્મ બની રહે છે.

અને હું જેમ ઇચ્છું છું કે સુખની મારી શોધમાં, સુખ-પ્રાપ્તિના મારા પ્રયત્નમાં કોઈ આડે આવવું ન જોઈએ, તેમ બીજા પણ ઇચ્છે છે કે એમના એવા પ્રયત્નમાં મારે આડે આવવું ન જોઈએ. મારી સ્વતંત્રતા કોઈ છીનવી લે તે મને ગમતું નથી તેથી હું જાણું છું કે બીજાની સ્વતંત્રતા ઉપર હું તરાપ મારું તે તેને નહીં ગમે. મારા હક કે અધિકાર ઉપર કોઈ તરાપ મારે તે જેમ હું સ્વીકારી શકતો નથી, તેમ હું જાણું છું કે કોઈના અધિકાર ઉપર હું તરાપ મારું તો તે સ્વીકારી શકે નહીં. તો પછી કર્મ એવી રીતે કરીએ જેથી કોઈના હક ઉપર તરાપ ન વાગે, કોઈકનો અધિકાર છીનવાઈ ન જાય, કોઈની સ્વતંત્રતા ઉપર કાપ ન મુકાય, કોઈની સુખની શોધમાં આપણે આડે ન આવીએ, કોઈના જીવનધ્યેયની પ્રાપ્તિના પ્રયત્નમાં આપણે નડતરરૂપ ન બનીએ.

આમ, માનવ-ધર્મ એટલે જીવનનાં મૂળભૂત મૂલ્યો, જેને આપણે માનવતા કહીએ છીએ.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *