Rajkot RPF: આરપીએફ સ્ટાફે ટ્રેનમાં ભુલાયેલા મુસાફરનો કિંમતી મોબાઈલ પરત કર્યો

Rajkot RPF; પ્રામાણિકતા ની મિસાલ: આરપીએફ સ્ટાફે ટ્રેનમાં ભુલાયેલા મુસાફરનો કિંમતી મોબાઈલ પરત કર્યો

રાજકોટ, 26 જુલાઈ: Rajkot RPF: રાજકોટ ડિવિઝનનો રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) સ્ટાફ હંમેશા તત્પરતા, પ્રામાણિકતા અને તત્પરતા સાથે તેમનું કામ કરવાનો પ્રયાસ કરે છે. પ્રામાણિકતાનું ઉદાહરણ રજૂ કરતાં RPF સ્ટાફે તાજેતરમાં બાંદ્રાથી રાજકોટ આવી રહેલા એક મુસાફરનો ટ્રેનમાં ભૂલી ગયેલો કિંમતી મોબાઈલ પરત કર્યો હતો.

વધુ વિગતો આપતા રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે 25.07.2022ના રોજ RPF રાજકોટ પોસ્ટ પર રાજકોટમાં રહેતા અનિકેત રૂપારેલ (ઉંમર 47 વર્ષ) નામના મુસાફરે ફરજ પરના હેન્ડ કોન્સ્ટેબલ કેતન માહેરિયાને જણાવ્યું હતું કે તે ટ્રેન નંબર 19217 બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ માં બાંદ્રા ટર્મિનસથી રાજકોટ સુધી A-1 માં 25 નંબર ની બર્થ માં મુસાફરી પૂરી કરી રાજકોટ ઉતરી ગયા હતા અને ટ્રેનમાં જ પોતાનો એપલ કંપનીનો મોબાઇલ ફોન ભૂલી ગયા હતા.

ઉપરોક્ત હેડ કોન્સ્ટેબલે તરત જ આ માહિતી આરપીએફના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સીતારામ મંગાવાને આપી, જેમણે તરત જ આ માહિતી ટ્રેનમાં તૈનાત આરપીએફ ની સુરક્ષા પાર્ટીના ઈન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ સંજય કુમાર અને ભક્તિનગર પોસ્ટ માં ફરજ પરના કોન્સ્ટેબલ સુનીલ ખટોડને આપી હતી. ટ્રેનમાં તૈનાત આરપીએફ સ્ટાફ દ્વારા આ મોબાઈલ ફોન મળતાં તેને ભક્તિનગર ચોકી પર સોંપવામાં આવ્યો હતો. રાજકોટ પોસ્ટ ખાતેની RPF ઓફિસમાં માહિતીની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ, મોબાઈલ જેની કીમત આશરે રૂ. 25,000/- રૂ હતી, સહી સલામત હાલત માં પેસેન્જરને પરત કરવામાં આવ્યો હતો.

રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર પવનકુમાર શ્રીવાસ્તવે સંબંધિત રેલવે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી, પ્રમાણિકતા અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી છે.

આ પણ વાંચો..Income Tax Return: કેન્દ્રએ 3 વર્ષમાં પ્રથમ વખત ટેક્સ રિટર્નની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો- વાંચો શું છે કારણ?

Gujarati banner 01