Intercity train canceled: ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી ટ્રેન ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે

Intercity train canceled: 16મી ફેબ્રુઆરી થી ચાર મહિના માટે ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી ટ્રેન ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે

અમદાવાદ, 15 ફેબ્રુઆરી: Intercity train canceled: ટ્રેન નંબર 20965/20966 ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ટ્રેન 16મી ફેબ્રુઆરીથી ચાર મહિના માટે સાબરમતી અને ગાંધીગ્રામ વચ્ચે ટેકનિકલ કારણોસર આંશિક રીતે રદ રહેશે.

આ પણ વાંચો:Electoral bond: ઇલેકટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ઇસુદાન ગઢવીએ શું કહ્યું?

તદનુસાર, 16 ફેબ્રુઆરી, 2024 થી 15 જૂન, 2024 સુધી, ટ્રેન નંબર 20965 / 20966 ભાવનગર – સાબરમતી – ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે ચાલશે અને આ ટ્રેનનું આગમન-પ્રસ્થાન સાબરમતી સ્ટેશન પર થશે નહીં.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો