Katra station 600x337 1

Trains Route change: અમદાવાદ-જમ્મૂતાવી એક્સપ્રેસ ટ્રેન બદલાયેલા માર્ગે ચાલશે

Trains Route change: અમદાવાદ-જમ્મૂતાવી એક્સપ્રેસ અને અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન બદલાયેલા માર્ગે ચાલશે

અમદાવાદ, 02 નવેમ્બર: Trains Route change: ઉત્તર રેલવેના જાલંધર-જમ્મૂતાવી સેક્શનના પઠાણકોટ યાર્ડમાં ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ-જમ્મૂતાવી એક્સપ્રેસ અને અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનો અંશત: પરિવર્તિત માર્ગે ચાલશે અને પઠાણકોટ સ્ટેશન પર નહીં જાય. જેની જાણકારી આ મુજબ છે :

  • 2થી 6 નવેમ્બર 2023 સુધી અમદાવાદથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19223 અમદાવાદ-જમ્મૂતાવી એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા પઠાણકોટ કેન્ટ-ભરોલી-જમ્મૂતાવીના માર્ગે જશે. આ ટ્રેન પઠાણકોટ સ્ટેશન પર નહીં રોકાય.
  • 3થી 7 નવેમ્બર 2023 સુધી જમ્મૂતાવીથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19224 જમ્મૂતાવી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ ભરોલી-પઠાણકોટ કેન્ટ-જાલંધરના માર્ગે ચાલશે. આ ટ્રેન પઠાણકોટ સ્ટેશનથી નહીં જાય.
  • 5 નવેમ્બર 2023ના રોજ અમદાવાદથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા ભરોલી-પઠાણકોટ કેન્ટ-જમ્મૂતાવીના માર્ગે જશે. આ ટ્રેન પઠાણકોટ સ્ટેશને નહીં જાય.
  • 7 નવેમ્બર, 2023ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા ભરોલી-પઠાણકોટ કેન્ટ-અમૃતસરના માર્ગે ચાલશે. આ ટ્રેન પઠાણકોટ સ્ટેશને નહીં જાય.

India Win Against SL: ભારતની શ્રીલંકા સામે ભવ્ય જીત, સેમીફાઈનલમાં કર્યો પ્રવેશ…

યાત્રીઓ ટ્રેનના પરિચાલનનો સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે અહીં આપેલી વેબસાઇટ પર તપાસ કરી શકે છે : www.enquiry.indianrail.gov.in

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો