PM Modi 2

20 years of Vibrant Gujarat Global Summit: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વન ટાઈમ ઇવેન્ટમાંથી ઇન્સ્ટિટ્યૂશન બની ગઇ છે- નરેન્દ્ર મોદી

  • ગુજરાતના સાત કરોડ નાગરિકના સામર્થ્ય અને સ્નેહથી પાછલા ૨૦ વર્ષમાં વાઇબ્રન્ટ સમિટની દરેક શૃંખલા સફળઃ વડાપ્રધાન

20 years of Vibrant Gujarat Global Summit: વાઇબ્રન્ટ સમિટની સફળતાએ સાબિત કરી દીધુ કે આ બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડીંગ માટેની ઇવેન્ટ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ 20 years of Vibrant Gujarat Global Summit: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૨૦ વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદમાં આયોજિત સમિટ ઓફ સક્સેસને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, બે દાયકા પહેલા વાવેલું નાનકડું બીજ આજે વિશાળ અને વાઇબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વન ટાઈમ ઇવેન્ટમાંથી ઇન્સ્ટિટ્યૂશન બની ગઇ છે. દરેક વખતે આ સમિટ સફળતાની નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાનો મંત્ર સમજાવતાં કહ્યું કે, આઈડિયા, ઈમેજીનેશન અને ઇમ્પ્લીમેન્ટેશન જેવા કોર એલીમેન્ટ વાઇબ્રન્ટ સમિટની સફળતામાં સામેલ છે. તેમણે કહ્યું કે, યોગ્ય નિર્ણય પ્રક્રિયા અને ફોકસ્ડ એપ્રોચથી કેવા બદલાવ આવી શકે તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાતે વિશ્વને બતાવ્યું છે. વાઇબ્રન્ટ સમિટ ગુજરાતીઓની ક્ષમતા અને વિવિધ સેક્ટર્સમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મુકવાનું એક માધ્યમ બની છે.

દેશના ટેલેન્ટનો વિશ્વને પરિચય આપવાનું અને ગુજરાતની દિવ્યતા, ભવ્યતા અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાનું માધ્યમ આ વાઇબ્રન્ટ સમિટ બની છે. વડાપ્રધાનએ આ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિતો અને દેશ-વિદેશના ઉદ્યોગ જગતના અગ્રણીઓને વિકાસની નવી સંભાવનાઓ સાથે ભારત પોતાની સ્થિતિ મજબૂત કરી શકે એવા સેક્ટર શોધવા અને તે માટેનું વિચાર-મંથન આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવા આહવાન કર્યું હતું.

વડાપ્રધાનએ સ્વામી વિવેકાનંદને યાદ કરતા કહ્યું કે, સારા કાર્યને ઉપહાસ, વિરોધ અને ત્યાર પછી સ્વીકાર એમ ત્રણ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. વાઇબ્રન્ટ સમિટની પરંપરા શરૂ કરી ત્યારે કહેવાતું કે આ તો માત્ર બ્રાન્ડિંગ ઇવેન્ટ છે. પરંતુ દુનિયા સમક્ષ વાઇબ્રન્ટ સમિટની સફળતાએ સાબિત કરી દીધુ કે આ બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડીંગ માટેની ઇવેન્ટ છે. ગુજરાતના સાત કરોડ નાગરિકના સામર્થ્ય અને સ્નેહથી પાછલા ૨૦ વર્ષમાં વાઇબ્રન્ટ સમિટની દરેક શૃંખલા સફળ બની રહી છે.

વડાપ્રધાનએ વાઇબ્રન્ટ સમિટની બે દાયકાની સફળતાનો ચિતાર આપતા કહ્યું કે, ૨૦૦૩માં અમુક સેંકડો પાર્ટીસિપન્ટસ આવ્યા હતા અને હવે ૪૦ હજારથી વધુ પાર્ટીસિપન્ટસ આ સમિટમાં જોડાય છે. ૨૦૦૩માં જૂજ દેશો ભાગીદાર બન્યા હતા જ્યારે હવે ૧૩૫થી વધુ દેશ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવે છે. ૨૦૦૩માં ૩૦ની આસપાસ એક્ઝિબિટર્સ જોડાયા હતા જ્યારે હવે ૨૦૦૦થી વધુ એક્ઝિબિટર્સ આ સમીટનો યોગ્ય મંચ તરીકે ઉપયોગ કરે છે.

ગુજરાતે અલગ-યુનિક રીતે વિચાર્યુ. વાઇબ્રન્ટ સમીટમાં કોઇ ડેવલપ્ડ નેશનને પાર્ટનર કન્ટ્રી બનાવવાનું જ્યારે કોઈએ વિચાર્યું ન હતું પણ ગુજરાતે કરી દેખાડ્યું. એ જ ઓફિસર્સ અને એ જ રિસોર્સ સાથે ગુજરાતે એવું કરી દેખાડ્યું જેનું કોઈએ વિચાર કર્યો ન હતો. દેશના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે, તેમના રાજ્યની ક્ષમતાઓનું નિદર્શન કરવા માટે આપણે આમંત્રિત કરતા હતા. દેશના જુદા જુદા સંગઠનો, જુદા જુદા ઔદ્યોગિક મેળાઓ વગેરેને જોડીને એનેક વર્ટિકલને વાઇબ્રન્ટ સમિટ સાથે જોડતા ગયા, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, ૨૦ વર્ષ એક લાંબો સમય છે, આજની યુવા પેઢીને કદાચ ખબર રહી હોય કે ભૂકંપ પછી ગુજરાતની શું સ્થિતિ હતી! ૨૦૦૧ પહેલાંના વર્ષોમાં સતત પાણીનો દુકાળ અને ત્યારબાદ આવેલા ભૂકંપથી હજારો ઘરોની તારાજી લાખો લોકોની બેહાલી અને તકલીફ ભર્યું જીવન હતું. વડાપ્રધાનએ ઉમેર્યું કે, મુશ્કેલ પરિસ્થિતિ અહીં જ અટકી ન હતી, માધવપુરા મર્કેન્ટાઇલ બેંક બંધ થવાથી બીજી ૧૩૩ જેટલી સહકારી બેંકોને અસર થઇ હતી. એક રીતે ગુજરાતના આર્થિક જીવનમાં હાહાકાર વ્યાપ્યો હતો.

તેમણે કહ્યું કે, આ વિકટ પરિસ્થિતિમાંથી ગુજરાત બહાર આવશે તેવો તેમને અતૂટ ભરોસો હતો. જે લોકો ગુજરાત વિરોધિ એજન્ડા લઈને આવતા હતા તેઓ દરેક ઘટનાનું એનાલિસિસ કરતા અને ગુજરાતને બદનામ કરવાની કોશિશો કરતા. આવા લોકો કહેતા કે ગુજરાતમાંથી યુવાનો, ઉદ્યોગો, વ્યાપારીઓ બધા જ પલાયન કરશે, ગુજરાત બરબાદ થઈ જશે અને દેશ માટે બોજારૂપ બની જશે. બદનામીના ષડયંત્રો લઈને ચાલનારા લોકોએ નિરાશાનો માહોલ ઊભો કર્યો હતો, તેઓ કહેતા કે ગુજરાત ક્યારેય પગભર નહીં થાય.

વડાપ્રધાનએ આ સંદર્ભમાં કહ્યું કે, આવા મુસિબતના સમયે તેમણે સંકલ્પ લીધો કે કોઈપણ પરિસ્થિતિમાંથી ગુજરાતને બહાર લઈ આવું છે, આગળ લઈ જવું છે, આ વિચારમાંથી વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થયો અને ગુજરાતનું માત્ર પુનઃનિર્માણ નહીં પરંતુ દાયકાઓ આગળનું વિચારી રાજ્યના વિકાસ માટેના કાર્ય સરકારે આરંભ્યા. આ દીર્ઘકાલીન વિકાસનું એક માધ્યમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બની છે.

વડાપ્રધાનએ કહ્યું કે, વાઇબ્રન્ટ સમિટ પરંપરા શરૂ થઇ ત્યારે એ તબક્કે તત્કાલિન કેન્દ્ર સરકાર ગુજરાતના વિકાસ માટે અરુચિ દાખવતી હતી. પરંતુ ગુડ, ફેર એન્ડ ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ, પોલિસી ડ્રીવન સ્ટેટ અને ઇકવલ સીસ્ટમ ઓફ ગ્રોથને પરિણામે દેશ-વિદેશના ઉદ્યોગો ગુજરાતમાં આવતા ગયા. વડાપ્રધાનએ કહ્યું કે, વાઈબ્રન્ટ સમિટની શરૂઆત કરી ત્યારે અમારો હેતુ ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવાનો હતો. સમગ્ર દેશે આ પરિકલ્પનાને હકીકતમાં સાકાર થતાં જોઈ છે.

૨૦૧૪માં જ્યારે કેન્દ્રમાં નેતૃત્વ સંભાળ્યું ત્યારે ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બને તેવો સંકલ્પ તેમણે કર્યો હતો. ભારત આજે દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે, ભારત ગ્લોબલ ઇકોનોમિક પાવર હાઉસ બનવા જઈ રહ્યું છે. હવે ભારતને દુનિયાના ટોચના ત્રણ અર્થતંત્રમાં સ્થાન અપાવવું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનએ કહ્યું કે, ૨૦મી સદીમાં ગુજરાતની છાપ ટ્રેડર્સ તરીકેની હતી, તેને ૨૧મી સદીમાં બદલીને ટ્રેડની સાથે એગ્રીકલ્ચરલ પાવર હાઉસ, ફાઇનાન્સિયલ હબ તેમજ ઇન્ડસ્ટ્રી અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ તરીકે નવી ઓળખ અપાવી. આના કારણે ગુજરાતની વ્યાપારી ઓળખ પણ વધુ મજબૂત બની. આ બધુ વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાને આભારી છે, જે આઈડિયા. ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રીઝના ઇન્ક્યુબેટર તરીકે કામ કરી રહી છે.

વડાપ્રધાનએ કહ્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે ઓટોમોબાઇલ, મેન્યુફેક્ચરિંગ, કેમિકલ, ડાઈઝ અને ઇન્ટરમીડિયેટ્સ, ફૂડ પ્રોસેસિંગ, મેડિકલ ડિવાઈસ મેન્યફેક્ચરીંગ, પ્રોસેસ્ડ ડાયમંડ, સિરામિક સહિતના ક્ષેત્રોમાં નવા સોપાનો સર કર્યા છે. ગુજરાત દેશનું ટોપ એક્સપોર્ટર રાજ્ય બની ગયું છે. ગુજરાતે ગત વર્ષે લગભગ ૨ બિલિયન યુએસ ડોલરનું એક્સપોર્ટ કર્યું હતું.

આવનારા સમયમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ બહુ મોટા ક્ષેત્ર તરીકે ઊભરી આવવાનું છે. તેમણે કહ્યું કે, ભારત આજે દુનિયામાં સસ્ટેનેબિલીટીની બાબતમાં નેતૃત્વ કરી રહ્યું છે. દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વાઇબ્રન્ટ સમિટને કેવી રીતે મહત્તમ લાભ મળી શકે તે અંગે પણ વિચારવું પડશે.

વડાપ્રધાનએ કહ્યું કે, હવેનો આ સમય વિરામનો સમય નથી. પાછલા ૨૦ વર્ષ કરતા આવનારા ૨૦ વર્ષ વધુ મહત્વના છે. વાઇબ્રન્ટ સમિટની સફળતાના ૪૦ વર્ષ મનાવીએ ત્યારે વિકસિત- આત્મનિર્ભર ભારત તરીકે રાષ્ટ્રને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવાનું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જી-20 પ્રેસીડેન્સીની ઐતિહાસિક સફળતા માટે સમગ્ર ગુજરાતની જનતા વતી અભિનંદન આપીને એમના પ્રવચનની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં નવા ભારત સાથે વિશ્વના દેશો સહભાગીતા માટે તત્પર છે. તેના કારણે આજે ભારતમાં નવી ટેકનોલોજી, નવા ઉદ્યોગો અને નવા રોજગારનાં અવસરો આવી રહ્યાં છે.

ગુજરાતમાં નવા ઉદ્યોગો આવે, નવી ટેકનોલોજી આવે, નવા રોજગારના અવસરો આવે તેવા વિઝન સાથે બે દાયકા પહેલાં વડાપ્રધાનએ વાઇબ્રન્‍ટ સમિટનો વિચાર આપ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩માં વાવેલું વાઇબ્રન્‍ટ સમિટનું બીજ આજે ૨૦ વર્ષે એક વટવૃક્ષ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાતને ઉદ્યોગો, મૂડીરોકાણો અને રોજગાર સર્જન ક્ષેત્રે ગ્લોબલ મેપ પર ચમકાવવાનું નરેન્‍દ્રભાઈએ સેવેલું સપનું સાકાર થયું છે. આ અવસરને આપણે સમિટ ઓફ સક્સેસ તરીકે ઉજવી રહ્યા છીએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટના પરિણામે આર્થિક વિકાસ સાથે સામાજના દરેક વર્ગ દરેક ક્ષેત્ર સુધી વિકાસ પહોંચ્યો છે. આ સમિટે ગુજરાતની પ્રગતિના નવા બેંચમાર્ક પ્રસ્થાપિત કર્યાં છે. આજે ગુજરાત દેશનું અગ્રણી એક્સ્પોર્ટર સ્ટેટ છે અને ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડ કંપનીઓમાંથી અનેક કંપનીઓ ગુજરાતમાં કારોબાર ધરાવે છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, બે દાયકા પહેલાં વાઈબ્રન્ટ મહોત્સવના પ્રારંભે વડાપ્રધાનએ ગુજરાત અને ગુજરાતીઓની ક્ષમતામાં અતૂટ વિશ્વાસ મૂકીને “ગુજરાત કેન એન્ડ ગુજરાતીઝ વિલ.”નો મંત્ર આપ્યો હતો. વડાપ્રધાનએ મૂકેલો એ વિશ્વાસ આજે સૌના સાથ સૌના વિકાસના મંત્રથી ચરિતાર્થ થયો છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આજે ગુજરાતમાં ભારતનું સૌથી પહેલું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર GIFT સિટી, સૌથી મોટું ગ્રીન ફિલ્ડ સ્પેશિયલ ઇનવેસ્ટમેન્ટ રિજિયન ધોલેરા, વિશ્વનું સૌથી મોટું સિંગલ ઓફિસ કોમ્પ્લેક્સ DREAM સિટી, વગેરે જેવા વૈશ્વિક સ્તરના પ્રોજેક્ટ્સ કાર્યરત છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટુ અર્થતંત્ર બન્યું છે અને તેમનું લક્ષ્ય ૨૦૨૭ સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું છે. આ લક્ષ્યસિદ્ધિ માટે ગુજરાત પ્રોએક્ટિવ પોલિસીઝ-પ્રો-પિપલ ગવર્નન્સ સાથે યોગદાન આપવા કટિબદ્ધ છે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સેમિ કન્ડક્ટર્સ, ડિસ્પ્લે ફેબ્સ, ગ્રીન હાઇડ્રોજન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 5G, એડવાન્સ્ડ મટિરિયલ્સ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને ઇ-કોમર્સ જેવા ઊભરતાં ક્ષેત્રોમાં ગુજરાત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

આ પણ વાંચો… WhatsApp Ends Support: હવે આ સ્માર્ટફોનમાં નહીં ચાલે વોટ્સએપ, ચેક કરી લો ફોનનું લિસ્ટ…

વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આવનારા વર્ષોમાં ગ્રીન હાઇડ્રોજન હબ બનીને વિશ્વના ક્લાયમેટ ચેન્જના પડકારો સામે અને ગ્લોબલ સસ્ટેનેબીલિટીમાં પોતાનું યોગદાન આપવા માટે પણ ગુજરાત તૈયાર છે. ગુજરાત પોતાની આવી ક્ષમતાઓ ઉજાગર કરીને દુનિયાના દેશો માટે ગેટ વે ટુ ધી ફ્યુચર બનવા સજ્જ છે, તેમ તેમણે દ્રઢતાપૂર્વક ઉમેર્યું હતું.

ઉદ્યોગમંત્રી બળવંત સિંહ રાજપૂતે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના સુગ્રથિત વિકાસ માટે આજથી ૨૦ વર્ષ પહેલાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતની પ્રગતિની વધુ ગતિ આપવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં “વાઈબ્રન્ટ ગુજરાત”ની શરૂઆત કરી હતી અને અને આજે પણ તેમના માર્ગદર્શન હેઠળ વાઈબ્રન્ટ ગુજરાતની દશમી શૃખલા યોજાઈ રહી છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

મંત્રી રાજપૂતે ઉમેર્યું કે, વર્ષ ૨૦૧૯ના નવમા વાઈબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમ.ઓ.યુ. પૈકીના ૯૦ ટકા એમ.ઓ.યુ. સફળ થયાં છે. આઝાદીના અમૃતકાળ પહેલાં વાઈબ્રન્ટ ગુજરાત દરમિયાન રાજ્યમાં ડિસેમ્બર ૨૦૨૨ થી આજદિન સુધી ૧૧૮ પ્રોજેક્ટ માટે એમ.ઓ.યુ. કર્યા અને રૂ.૧,૪૭,૦૦૦ કરોડ રૂપિયાના મૂડી રોકાણ થનાર છે. જેમાંથી મોટાભાગના પ્રોજેક્ટ ઉત્પાદનમાં આવી ગયાં છે અને બાકીના અમલીકરણ હેઠળ છે.

આ પ્રસંગે જેટ્રો સાઉથ એશિયાના ડારેકટર જનરલ તાકાસી સુઝુકી, આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ, વેલસ્પન ગ્રુપના ચેરમેન બી.કે.ગોએન્કા એ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. વડાપ્રધાન આ પહેલા સાયન્સ સિટી ખાતેના ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયન નું ઉદ્ઘાટન કરીને મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સૂક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, નવસારીના સાંસદ સી.આર.પાટીલ, રાજ્યમંત્રી મંડળના સભ્યઓ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસ નાથન સહિત ઉચ્ચ અધિકારીઓ, રાજ દ્વારીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ આપતી કોલેજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 20 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત 20 વર્ષ પહેલા 28 સપ્ટેમ્બર 2003ના રોજ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. સમય જતાં, તે સાચા અર્થમાં વૈશ્વિક ઘટનામાં પરિવર્તિત થઈ, ભારતમાં પ્રીમિયર બિઝનેસ સમિટમાંની એક તરીકેની સ્થિતિ પ્રાપ્ત કરી.

ઉદ્યોગ જગતના અગ્રણીઓએ તેમના વિચારો રજૂ કર્યા હતા

વેલસ્પનના ચેરમેન બી કે ગોએન્કાએ વાઈબ્રન્ટ ગુજરાતની સફરને યાદ કરતાં જણાવ્યું હતું કે વાઈબ્રન્ટ ગુજરાત ખરેખર વૈશ્વિક ઈવેન્ટ બની ગયું છે. તેમણે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રીના વિઝનને યાદ કર્યું, જેમના માટે રોકાણ પ્રોત્સાહન એ એક મિશન હતું. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ અન્ય રાજ્યો માટે રોલ મોડલ બન્યો છે. તેમણે પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાનના તેમના અનુભવને યાદ કર્યા જ્યારે મોદીએ તેમને તાજેતરમાં ભૂકંપથી તબાહ થયેલા કચ્છ પ્રદેશમાં વિસ્તરણ કરવાની સલાહ આપી હતી.

ગોએન્કાએ કહ્યું કે, પ્રધાનમંત્રીની સલાહ ઐતિહાસિક સાબિત થઈ અને તમામ સહયોગથી તેઓ ખૂબ જ ટૂંકા ગાળામાં ઉત્પાદન શરૂ કરી શક્યા. તેમણે હાલના કચ્છની ગતિશીલતાને રેખાંકિત કરી, જે માત્ર એક વેરાન વિસ્તાર હોવાને કારણે દૂર છે અને કહ્યું હતું કે ટૂંક સમયમાં આ પ્રદેશ વિશ્વ માટે ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશે. તેમણે વૈશ્વિક નાણાકીય કટોકટી વચ્ચે 2009માં પ્રધાનમંત્રીના આશાવાદને પણ યાદ કર્યો અને તે વર્ષમાં પણ વાઈબ્રન્ટ ગુજરાતને મોટી સફળતા મળી હતી. રાજ્યમાં 70 ટકાથી વધુ એમઓયુમાં રોકાણ જોવા મળ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

તાકાશી સુઝુકી, ચીફ ડાયરેક્ટર જનરલ, જેટ્રો (દક્ષિણ એશિયા)એ વાઈબ્રન્ટ ગુજરાતની 20મી વર્ષગાંઠ માટે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે મેક ઈન ઈન્ડિયા પહેલમાં જાપાનનું સૌથી મોટું યોગદાન રહ્યું છે. 2009થી ગુજરાત સાથે જેટ્રોની ભાગીદારી વિશે બોલતા, સુઝુકીએ જણાવ્યું હતું કે ગુજરાત સાથે સાંસ્કૃતિક અને વ્યવસાયિક જોડાણો માત્ર સમય સાથે વધુ ગાઢ બન્યા છે અને આના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનને શ્રેય આપે છે, જેમની ભલામણ પર જેટ્રોએ રોકાણની સુવિધા માટે 2013 માં અમદાવાદમાં તેની પ્રોજેક્ટ ઓફિસ ખોલી હતી.

જાપાનીઝ કંપનીઓ તરફથી તેમણે ભારતમાં દેશ-કેન્દ્રીત ટાઉનશીપને પણ પ્રકાશિત કરી જેણે રોકાણને પ્રોત્સાહન આપ્યું છે અને ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતમાં પ્રોજેક્ટ ઓફિસને 2018માં પ્રાદેશિક ઓફિસમાં અપગ્રેડ કરવામાં આવી હતી. સુઝુકીએ માહિતી આપી હતી કે ગુજરાત લગભગ 360 જાપાનીઝ કંપનીઓ અને ફેક્ટરીઓનું ઘર છે.

તેમણે સેમિકન્ડક્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને ફાર્માસ્યુટિકલ સેક્ટર જેવા ભારતમાં ભવિષ્યના બિઝનેસ સેક્ટરમાં સાહસ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આગામી વાઇબ્રન્ટ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ પર ધ્યાન કેન્દ્રીત કરતા જાપાનીઝ બિઝનેસ ડેલિગેશનને આમંત્રિત કરવાની માહિતી આપી હતી. સુઝુકીએ ભારતને રોકાણ માટે ઇચ્છનીય સ્થળ બનાવવા માટેના માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી મોદીનો પણ આભાર માન્યો હતો.

આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા શરૂ કરાયેલા ટ્રેન્ડને કારણે અન્ય રાજ્યોમાં પણ આવી ઘટનાઓ બની અને ભારત વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. તેમણે આ માટે પ્રધાનમંત્રીની દૂરંદેશી અને કાર્યક્ષમતાને શ્રેય આપ્યો હતો.

તેમણે G20 માટે પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા હતા જે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ વૈશ્વિક સર્વસંમતિ નિર્માતા તરીકે ઉભરી આવ્યા છે. મિત્તલે અગ્રણી ઔદ્યોગિક રાજ્ય તરીકે ગુજરાતની સ્થિતિ અને તે કેવી રીતે અસરકારક રીતે વૈશ્વિક સ્પર્ધાત્મકતા દર્શાવે છે તેના પર ભાર મૂક્યો હતો. તેમણે રાજ્યમાં આર્સેલર મિત્તલના પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ટીકા કરી હતી કે, વીસ વર્ષ પહેલા વાવેલા બીજ એક ભવ્ય અને વૈવિધ્યસભર વાઈબ્રન્ટ ગુજરાતનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 20મી વર્ષગાંઠની ઉજવણીનો ભાગ બનવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. વાઇબ્રન્ટ ગુજરાત એ રાજ્ય માટે માત્ર બ્રાન્ડિંગની કવાયત નથી, પરંતુ બંધનને મજબૂત કરવાનો પ્રસંગ હોવાનો પુનરોચ્ચાર કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સમિટ તેમની સાથે સંકળાયેલા મજબૂત બંધન અને રાજ્યના 7 કરોડ લોકોની ક્ષમતાનું પ્રતીક છે. “આ બોન્ડ મારા માટે લોકોના અપાર પ્રેમ પર આધારિત છે”, એમ તેમણે ઉમેર્યું.

તેમણે કહ્યું કે 2001ના ભૂકંપ પછી ગુજરાતની સ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ છે. ભૂકંપ પહેલા પણ ગુજરાત લાંબા દુષ્કાળમાંથી પસાર થઈ રહ્યું હતું. માધવપુરા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકના પતનથી આમાં વધારો થયો હતો જેના કારણે અન્ય સહકારી બેંકોમાં પણ સાંકળ પ્રતિક્રિયા જોવા મળી હતી. મોદીએ યાદ કર્યું કે તે તેમના માટે નવો અનુભવ હતો કારણ કે તે સમયે તેઓ સરકારની ભૂમિકામાં નવા હતા.

આ સ્થિતિમાં, હૃદયદ્રાવક ગોધરાની ઘટનાને પગલે ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. મોદીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે તેમની પાસે અનુભવનો અભાવ હોવા છતાં, તેમને ગુજરાત અને તેની જનતામાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે ગુજરાતને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવતા તે સમયના એજન્ડા-સંચાલિત ડૂમસેયર્સને પણ યાદ કર્યા હતા.

“મેં પ્રતિજ્ઞા લીધી કે ગમે તે સંજોગો હોય, હું ગુજરાતને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢીશ. અમે માત્ર પુનઃનિર્માણ વિશે જ વિચારતા ન હતા પરંતુ તેના ભવિષ્ય માટે પણ આયોજન કરી રહ્યા હતા અને અમે આ માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને મુખ્ય માધ્યમ બનાવ્યું છે”,એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત રાજ્યની ભાવનાઓને ઉત્તેજન આપવા અને વિશ્વ સાથે જોડાવા માટેનું એક માધ્યમ બની ગયું છે.

તેમણે રેખાંકિત કર્યું હતું કે સમિટ રાજ્ય સરકારના નિર્ણય અને કેન્દ્રીત અભિગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટેનું એક માધ્યમ બની ગયું છે અને સાથે સાથે દેશની ઉદ્યોગ ક્ષમતાને પણ આગળ લાવી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વાઈબ્રન્ટ ગુજરાતનો અસરકારક રીતે અનેક ક્ષેત્રોમાં અસંખ્ય તકો પ્રસ્તુત કરવા, દેશના ટેલેન્ટ પૂલને પ્રદર્શિત કરવા અને દેશની દિવ્યતા, ભવ્યતા અને સાંસ્કૃતિક પરંપરાઓને ઉજાગર કરવા માટે અસરકારક રીતે ઉપયોગમાં લેવાય છે.

સમિટના આયોજનના સમય વિશે બોલતા, પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે વાઇબ્રન્ટ ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે એક ઉત્સવ બની ગયું છે કારણ કે તે નવરાત્રિ અને ગરબાની ધમાલ દરમિયાન આયોજન કરવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ ગુજરાત પ્રત્યે તત્કાલીન કેન્દ્ર સરકારની ઉદાસીનતાને યાદ કરી. ‘ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ’નું તેમનું સૂત્ર હોવા છતાં, ગુજરાતનો વિકાસ રાજકીય પ્રિઝમથી જોવા મળ્યો હતો. ધાકધમકી છતાં વિદેશી રોકાણકારોએ ગુજરાતને પસંદ કર્યું. આ કોઈ ખાસ પ્રોત્સાહન ન હોવા છતાં હતું. તેમણે કહ્યું કે મુખ્ય આકર્ષણ સુશાસન, ન્યાયી અને નીતિ આધારિત શાસન અને વૃદ્ધિ અને પારદર્શિતાની સમાન વ્યવસ્થા હતી.

સમગ્ર વિશ્વ જ્યારે મંદીમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે વાઈબ્રન્ટ ગુજરાતની 2009ની આવૃત્તિને યાદ કરતાં પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે તેમણે આગળ વધીને કાર્યક્રમનું આયોજન કરવા પર ભાર મૂક્યો હતો. પરિણામે, પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે 2009ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ગુજરાતની સફળતાનો નવો અધ્યાય લખાયો હતો.

પ્રધાનમંત્રીએ તેની યાત્રા દ્વારા સમિટની સફળતા સમજાવી. 2003ની આવૃત્તિએ માત્ર થોડાક સો સહભાગીઓને આકર્ષ્યા; આજે 40000 થી વધુ સહભાગીઓ અને પ્રતિનિધિઓ અને 135 દેશો સમિટમાં ભાગ લે છે,એવી તેમણે માહિતી આપી હતી. પ્રદર્શકોની સંખ્યા પણ 2003માં 30 થી વધીને આજે 2000 થી વધુ થઈ ગઈ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાતની સફળતાના મુખ્ય તત્વો વિચાર, કલ્પના અને અમલીકરણ છે. તેમણે વાઈબ્રન્ટ ગુજરાત પાછળના વિચાર અને કલ્પનાની હિંમતને રેખાંકિત કરી અને કહ્યું કે અન્ય રાજ્યોમાં તેનું અનુસરણ થયું છે.

“આ વિચાર ભલે ગમે તેટલો મહાન હોય, પણ તેમના માટે સિસ્ટમને એકીકૃત કરવી અને પરિણામો પ્રદાન કરવું હિતાવહ છે”, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આવા સ્કેલના સંગઠનને સઘન આયોજન, ક્ષમતા નિર્માણમાં રોકાણ, ઝીણવટભરી દેખરેખ અને સમર્પણની જરૂર છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે વાઈબ્રન્ટ ગુજરાત સાથે, રાજ્ય સરકારે સમાન અધિકારીઓ, સંસાધનો અને નિયમો સાથે હાંસલ કર્યું જે અન્ય કોઈપણ સરકાર માટે અકલ્પનીય હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે વાઈબ્રન્ટ ગુજરાત સરકારની અંદર અને બહાર ચાલી રહેલી સિસ્ટમ અને પ્રક્રિયા સાથે એક સમયની ઘટનાથી સંસ્થા બની ગઈ છે. પ્રધાનમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાતની ભાવના પર ભાર મૂક્યો હતો જેનો હેતુ દેશના દરેક રાજ્યને લાભ આપવાનો છે. તેમણે અન્ય રાજ્યોને સમિટે ઓફર કરેલી તકનો લાભ લેવા વિનંતી કરી હતી.

20મી સદીમાં ગુજરાતની ઓળખ વેપારી આધારિત હતી તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે 20મીથી 21મી સદીમાં આવેલા પરિવર્તનને કારણે ગુજરાત કૃષિ ક્ષેત્રે પાવરહાઉસ અને નાણાકીય હબ બન્યું છે અને રાજ્યને ઔદ્યોગિક અને ઉત્પાદન ઇકોસિસ્ટમ તરીકે તેને નવું ક્ષેત્ર મળ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાતની વેપાર આધારિત પ્રતિષ્ઠા વધુ મજબૂત બની છે. પ્રધાનમંત્રીએ આવા વિકાસની સફળતાનો શ્રેય વાઈબ્રન્ટ ગુજરાતને આપ્યો જે વિચારો, નવીનતા અને ઉદ્યોગો માટે ઇન્ક્યુબેટર તરીકે કામ કરી રહ્યું છે.

છેલ્લા 20 વર્ષની સફળતાની વાર્તાઓ અને કેસ સ્ટડીઝનો ઉલ્લેખ કર્યો જે અસરકારક નીતિ ઘડતર અને કાર્યક્ષમ પ્રોજેક્ટ અમલીકરણથી શક્ય બન્યું છે. પ્રધાનમંત્રીએ ટેક્સટાઇલ અને એપેરલ ઉદ્યોગમાં રોકાણ અને રોજગારમાં વૃદ્ધિનું ઉદાહરણ આપ્યું હતું અને નિકાસમાં રેકોર્ડ વૃદ્ધિનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ ઓટોમોબાઈલ ક્ષેત્રની વાત કરી કે જ્યાં 2001ની સરખામણીમાં રોકાણમાં 9 ગણો વધારો થયો, ઉત્પાદનક્ષેત્રના ઉત્પાદનમાં 12 ગણો ઉછાળો, ભારતના રંગો અને મધ્યવર્તી ઉત્પાદનમાં 75 ટકા યોગદાન, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં રોકાણમાં દેશમાં સૌથી વધુ હિસ્સો, 30,000થી વધુ કાર્યરત ફૂડ પ્રોસેસિંગ એકમો, તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં 50 ટકાથી વધુ હિસ્સો અને કાર્ડિયાક સ્ટેન્ટ્સના ઉત્પાદનમાં લગભગ 80 ટકા હિસ્સો, વિશ્વના 70 ટકાથી વધુ હીરાની પ્રક્રિયા, ભારતની હીરાની નિકાસમાં 80 ટકા યોગદાન, અને સિરામિક ટાઇલ્સ, સેનિટરી વેર અને વિવિધ સિરામિક ઉત્પાદનોના લગભગ 10 હજાર ઉત્પાદન એકમો સાથે દેશના સિરામિક માર્કેટમાં 90 ટકા હિસ્સો છે.

આ પણ વાંચો… ISRO Next Plan: સૂર્ય-ચંદ્ર બાદ હવે શુક્ર પર ISROની નજર, વાંચો વિગતે…

મોદીએ પણ માહિતી આપી હતી કે ગુજરાત ભારતમાં 2 બિલિયન યુએસ ડોલરના વર્તમાન વ્યવહાર મૂલ્ય સાથે સૌથી મોટો નિકાસકાર છે. “સંરક્ષણ ઉત્પાદન આગામી સમયમાં ખૂબ મોટું ક્ષેત્ર હશે”, તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “જ્યારે અમે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી ત્યારે અમારો હેતુ એ હતો કે આ રાજ્ય દેશની પ્રગતિનું ગ્રોથ એન્જિન બને. દેશે આ વિઝનને વાસ્તવિકતા બનતા જોયું છે.” તેમણે કહ્યું કે 2014માં ભારતને વિશ્વનું ગ્રોથ એન્જિન બનાવવાનું લક્ષ્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને નિષ્ણાતો વચ્ચે પડઘો શોધી રહ્યું છે. “આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે.

હવે આપણે એવા વળાંક પર ઊભા છીએ જ્યાં ભારત વૈશ્વિક આર્થિક પાવરહાઉસ બનવા જઈ રહ્યું છે. હવે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની છે.”, તેમ તેમણે કહ્યું. તેમણે ઉદ્યોગપતિઓને એવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવા કહ્યું જે ભારતને નવી સંભાવનાઓ આપવામાં મદદ કરશે. તેમણે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, એગ્રી-ટેક, ફૂડ પ્રોસેસિંગ અને શ્રી અણ્ણાને વેગ આપવાના માર્ગોની ચર્ચા કરવા કહ્યું.

નાણાકીય સહયોગની સંસ્થાઓની વધતી જતી જરૂરિયાત વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ GiFT સિટીની વધતી જતી સુસંગતતા પર ટિપ્પણી કરી. “ગિફ્ટ સિટી અમારા સમગ્ર સરકારના અભિગમને પ્રતિબિંબિત કરે છે. અહીં કેન્દ્ર, રાજ્ય અને IFSC સત્તાવાળાઓ વિશ્વમાં શ્રેષ્ઠ નિયમનકારી વાતાવરણ બનાવવા માટે સાથે મળીને કામ કરે છે. આપણે તેને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક નાણાકીય માર્કેટપ્લેસ બનાવવાના પ્રયાસો વધુ તીવ્ર કરવા જોઈએ”, તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ થોભવાનો સમય નથી. “આગામી 20 વર્ષ છેલ્લા 20 વર્ષ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. વાઇબ્રન્ટ ગુજરાતને 40 વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારત તેની આઝાદીની શતાબ્દીથી વધુ દૂર નહીં હોય. આ તે સમય છે જ્યારે ભારતે એક એવો રોડમેપ બનાવવો પડશે જે તેને 2047 સુધીમાં એક વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવશે”, સમિટ આ દિશામાં આગળ વધશે તેવી આશા વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ સમાપન કર્યું.

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદ સભ્ય સી આર પાટીલ, ગુજરાત સરકારના મંત્રીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Dilip Joshi-Shailesh Lodha Relationship: શું હમણાં પણ જેઠાલાલના ‘પરમમિત્ર’ છે મહેતા સાહેબ! એક્ટરે કર્યો ખુલાસો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો