અંબાજી મંદિર ના ચાચરચોક માં 1008 દીવડા પ્રગટાવી 1008 દીવડા નો ગરબો કોરાવ્યો
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૧૮ ઓક્ટોબર: નવરાત્રી ના પ્રથમ નોરતે કોરોના ની મહામારી ના કારણે રાજ્યભર ના મંદિરો માં તેમજ પાર્ટીપ્લોટો ખેલૈયા વગર સુમસામ જોવા મળી રહ્યા છે પણ આજે યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ના ચાચરચોક માં 70 વર્ષ થી ગરબા નું આયોજન કરતું નવયુવક પ્રગતિ મંડળ એ આ વખતે ભલે ગરબા ઉપર પ્રતિબંધ લાગ્યો હોય પણ આયોજક મંડળ ના સભ્યો દ્વારા માતાજી ના ચાચરચોક માં માતાજી ની આરતી કરી ગરબા નું કરવઠું પૂર્ણ કર્યું હતું
આજે અમ્ બાજી મંદિર ના ચાચરચોક માં ગાયના છાણ માંથી બનાવેલા 1008 દીવડા માં ગાય ના શુદ્ધ ઘી ના દીવડા પ્રગટાવી 1008 દીવડા નો ગરબો કોરાવ્યો હતો ને આયોજક મંડળ ના સભ્યો દ્વારા ચાચરચોક માં સોશ્યિલ ડિસ્ટન્સ માં બેસી ને માતાજી ની ધૂન બોલાવી હતી ને આજે આ રીતે નોરતા ના પ્રથમ રાત્રી નું સાદગી પૂર્ણ મહોત્સવ મનાવ્યો હતો ને આજરીતે બાકી ના 8 રાત્રી એ માતાજી ની આરતી ચાચરચોક માંથી કરી ને નવરાત્રી મનાવશે