3 family members drown in mahisagar river: વડોદરા પાસે મહીસાગર નદીમાં ડૂબી જતાં એક જ પરિવારનાં 3 સભ્યનાં મોત

3 family members drown in mahisagar river: માતા – પુત્ર અને ભત્રીજાનાં મોતથી ગામમાં સન્નાટો ફેલાયો

વડોદરા, 22 નવેમ્બર: 3 family members drown in mahisagar river: વડોદરા પાસે મહીસાગર નદીમાં ડૂબી જતાં માતા – પુત્ર અને ભત્રીજાનાં મોત , પરિવારમાં માતમ સ્થાનિક તરવૈયાઓએ માતા – પુત્રના મૃતદેહો બહાર કાઢ્યા , ફાયર બ્રિગેડે ભત્રીજાનો મૃતદેહ બહાર કાઢ્યો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામ પાસે મહીસાગર નદીમાં ડૂબી જતા એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે . માતા – પુત્ર અને ભત્રીજાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે અને કરખડી ગામમાં સન્નાટો ફેલાઇ ગયો છે .

વડુ પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે . કરખડીના વ્યાસ પરિવારમાં માતમ પાદરા તાલુકાના કરખડી ગામના જ્યોતિબેન વ્યાસ , તેમનન પુત્ર અભય વ્યાસ અને ભત્રીજો મિતેશ વ્યાસ આજે મહીસાગર નદીમાં ન્હાવા પડ્યા હતા . જ્યાં તેઓ અચાનક જ ડૂબવા લાગ્યા હતા .

આ પણ વાંચો- President awards Vir Chakra to Abhinandan: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અભિનંદન વર્ધમાનને વીર ચક્રનું સન્માન- વાંચો વિગત

ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ દોડી ગયા હતા અને જ્યોતિબેન વ્યાસ અને અભય વ્યાસનો મૃતદેહ બહાર કાઢ્યો હતો . જ્યારે મિતેશ વ્યાસની ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી હતી . ભારે જહેમત બાદ પોલીસે તેના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો . આ સમયે વ્યાસ પરિવાર આક્રંદ કરતો જોવા મળ્યો હતો .

Whatsapp Join Banner Guj