Accident: રેલગાડીની અડફેટે આવતા ઘટના સ્થળે વૃદ્ધનું મોત નિપજ્યુ, પોલીસ કાર્યવાહી આગળ ન વધતા મૃતકના પરિજનોએ પોલિસ કંટ્રોલને કરી જાણ
અમદાવાદ, 16 માર્ચઃ અમદાવાદના મણિનગર દક્ષિણી રેલવે અંડરપાસમાં રેલગાડીની અડફેટ(Accident) આવતા એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું કે, મણિનગરના વૃધ્ધને દિવાલના બાકોરામાંથી શોટકટમાં જતા રેલગાડીની અડફેટે આવતા ઘટના પર જ વૃધ્ધ નું મોત નીપજીયુ હતું.
પખવાડિયામાં આ બીજી ઘટના રેલવે પાટા ઓળંગવા જતા ઘટી ઘટના છે. લોકોની ફરિયાદ છે કે, રેલવે વિભાગ દિવાલના બાકોરા નથી પુરતુ કે અંડરપાસની દિવાલો ઉંચી કરતુ નથી. મણિનગર-ખોખરા-રેલવે પોલીસ હદમાં આવે છે. દુર્ઘટના નિપજ્યાના બે કલાક બાદ પણ પોલીસ કાર્યવાહી આગળ ન વધી. ત્યાર બાદ મૃતકના પરિજનોએ શહેરના પોલિસ કંટ્રોલને જાણ કરી.
આ પણ વાંચો….