0b0502b2 b8d7 425e 8dbe 98dcd6dff773

Accident: રેલગાડીની અડફેટે આવતા ઘટના સ્થળે વૃદ્ધનું મોત નિપજ્યુ, પોલીસ કાર્યવાહી આગળ ન વધતા મૃતકના પરિજનોએ પોલિસ કંટ્રોલને કરી જાણ

અમદાવાદ, 16 માર્ચઃ અમદાવાદના મણિનગર દક્ષિણી રેલવે અંડરપાસમાં રેલગાડીની અડફેટ(Accident) આવતા એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું કે, મણિનગરના વૃધ્ધને દિવાલના બાકોરામાંથી શોટકટમાં જતા રેલગાડીની અડફેટે આવતા ઘટના પર જ વૃધ્ધ નું મોત નીપજીયુ હતું.

ADVT Dental Titanium

પખવાડિયામાં આ બીજી ઘટના રેલવે પાટા ઓળંગવા જતા ઘટી ઘટના છે. લોકોની ફરિયાદ છે કે, રેલવે વિભાગ દિવાલના બાકોરા નથી પુરતુ કે અંડરપાસની દિવાલો ઉંચી કરતુ નથી. મણિનગર-ખોખરા-રેલવે પોલીસ હદમાં આવે છે. દુર્ઘટના નિપજ્યાના બે કલાક બાદ પણ પોલીસ કાર્યવાહી આગળ ન વધી. ત્યાર બાદ મૃતકના પરિજનોએ શહેરના પોલિસ કંટ્રોલને જાણ કરી.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

New helpline service: UPIનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે સારા સમાચાર, શરુ થઇ નવી હેલ્પલાઇન સર્વિસ- આ બેંકના ગ્રાહકોને મળશે લાભ