ambaji havan

Ambaji PM Modi Birthday: અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે 73 મોં જન્મદિવસ માટે નવચંડી યજ્ઞ નું આયોજન

Ambaji PM Modi Birthday: અંબાજી ખાતે પણ તેમના દીર્ગાયુષ્ય માટે અંબાજી મંદિર ની યજ્ઞશાળામાં નવચંડી યજ્ઞ નું આયોજન

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 17 સપ્ટેમ્બર:
Ambaji PM Modi Birthday: વડનગરના પનોતા પુત્ર અને ભારતદેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે 73 મોં જન્મદિવસ રાજ્ય નહીં પણ દેશભર ઉજવી રહ્યું છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ તેમના દીર્ગાયુષ્ય માટે અંબાજી મંદિર ની યજ્ઞશાળામાં નવચંડી યજ્ઞ નું આયોજન કરી દેશ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેવાયેલા કેટલાક ઐતિહાસિક નિર્ણયોની સરાહના કરી હતી.

આગામી સમય માં વધુ આવાજ ઐતિહાસિક નિર્ણયો લે તેના માટે તેમના દીર્ગાઆયુષ્ય માટે માં અંબે ને પ્રાર્થના કરવાની સાથે નવચંડી યજ્ઞ કરી તેમાં આહુતિ આપવામાં આવી હતી નરેન્દ્રભાઈ મોદીએ શક્તિપીઠ અંબાજી ધામ ને પણ રેલવે માર્ગ સાથે જોડવાની જાહેરાત કરી જે રાજા રજવાડા ના સમય માં ન થયું હોય તેવું નિર્ણય લઈ પછાત વિસ્તાર ને મોટી ભેટ આપી છે.

Ambaji PM Modi Birthday

એટલુંજ નહીં તેમના માન માં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાત રાજ્યમાં 590 સ્થળો એ રંગોળી સ્પર્ધા નું પણ આયોજન કરાયું હતું જેમાં અંબાજી મંદિર ના ચાચરચોકમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રતિકૃતિ વાળી રામ મંદિરના થીમ ને લઈ રંગોળી બનાવી અંબાજી આવતા ભક્તો માં નવું આકર્ષણ ઉભું કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો..OPD open till 8pm: સરકારી હોસ્પિટલો ખાતે સાંજે 8.00 કલાક સુધી દર્દીઓને ઓ.પી.ડી દ્વારા સારવાર અપાશે

Gujarati banner 01