Butlager

Bootleggers arrest: અમરાઇવાડી પોલીસનો સપાટો, ખુલ્લેઆમ દારૂ વેચતા કુખ્યાત બુટલેગરોની ધરપકડ

Bootleggers arrest: ગુનાહિત ઇતિહાસ ધરાવતા ત્રણેય આરોપીઓ સામે નોંધાયેલા છે અનેક ગુનાઓ

અમદાવાદ , ૨૯ જુલાઈ: Bootleggers arrest: અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં મહાવિર વિસ્તારમાં તારાચંદ ચાલીને નાકે ખુલ્લેઆમ ઇંગ્લિસ દારૂનું વેચાણ કરતા બે કુખ્યાત બુટલેગરો સહિત દારૂ સપ્લાય કરનાર રામોલના એક બુટલેગરને પોલીસે દબોચી લીધા છે. બાતમીને આધારે અમરાઇવાડી પોલીસે રેડ કરી દારૂના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો કબ્જે કરી હતી. ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ આ મામલે પોલીસે બુટલેગરો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સ્ટેશનના પીઆઇ ડીબી મહેતાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ આરજી બાવાની ટીમ અમરાઇવાડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મહાવીરનગર નજીક તારાચંદની ચાલીના નાકે ખુલ્લેઆમ ઇંગ્લિસ દારૂનું વેચાણ થાય છે તેવી બાતમી મળી હતી. ત્યાર બાદ બાતમીવાળી જગ્યાએ પોલીસે રેડ કરતા ખુલ્લેઆમ દારૂ વેચતા(Bootleggers arrest) બે ઇમસ શંકર ગોપીચંદ નીમજે તેમજ સોનુ ભગવાનદાસ અગ્રવાલની દારૂના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો…Raj kundra case: રાજ કુંદ્રા શિલ્પા સાથે ખુશ નહોતો, કહ્યા વગર મારા ઘરે આવ્યો અને ના પાડી છતાં કિસ કરી, શર્લિન ચોપરાએ કહ્યું- વાંચો વિગત

ધરપકડ બાદ આરોપીઓ(Bootleggers arrest) પાસેથી પોલીસે અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિસ દારૂની બોટલો કબ્જે કરી હતી. પૂછપરછ દરમિયાન બુટલેગરોએ રામોલ ખાતે રહેતો બુટલેગર બલવીરસિંગ ઉર્ફે કાલુ હનુમાનસિંગ રાજપુત પાસે ધંધાભાગીદારી અર્થે દારૂ લાવ્યા હોવાની કબુલાત કરી હતી. ત્યાર બાદ પોલીસે બલવીરસિંગ રાજપુતની ધરપકડ કરવામાં આવી હતી.

તપાસ દરમ્યાન ધરપકડ કરાયેલા ત્રણેય બુટલેગરો (Bootleggers arrest) અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં સોનુ ભગવાનદાસ અગ્રવાલ સામે મારા મારી, ધમકી સહિત 24 ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે તડીપાર શંકર ગોપીચંદ નીમજે સામે 12 ગુનાઓ નોંધાયેલા છે. બલવીરસિંગ ઉર્ફે કાલુ હનુમાનસિંગ રાજપુત સામે મારા મારી તેમજ પ્રોહિબિશનમાં ચાર ગુનાઓ નોંધાયેલા છે.

બુટલેગરોના નામ સરનામા

સોનુ બગવાનદાસ અગ્રવાલ – મહાવિરનગર, અમરાઇવાડી
શંકર ગોપીચંદ નીમજે – મહાવીરનગર, તારાચંદની ચાલી, ગોપાલનગર, અમરાઇવાડી
બલવીરસિંગ ઉર્ફ હનુમાનસિંગ રાજપુત – નૈયા, એપાર્ટમેન્ટ, વસ્ત્રાલ રીંગ રોડ પાસે, રામોલ

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.