CM Ganesh Puja

CM Ganesh Puja: ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ ગણેશ ઉત્સવમાં સહભાગી થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

CM Ganesh Puja: મુખ્યમંત્રીએ વિવિધ સ્થળોએ ગણેશ સ્થાપનમાં જઈને ભગવાન શ્રી ગણેશના ભક્તિભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી

અમદાવાદ, 19 સપ્ટેમ્બરઃ CM Ganesh Puja: ગણેશ ચતુર્થીના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પોતાના વિધાનસભા મત ક્ષેત્ર ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ સાર્વજનિક ગણેશઉત્સવના જનઉમંગમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.

ભૂપેન્દ્ર પટેલે પાટીદાર ચોક- ઘાટલોડીયા, ગુરુકુળના મહારાજા- ગુરુકુળ રોડ, સરદાર ચોક- વસ્ત્રાપુર ખાતેના ગણેશ સ્થાપનમાં જઈને ભગવાન શ્રી ગણેશના દર્શન કરી આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતિનભાઈ પટેલ તથા વિવિધ વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Establishment of Standard Club: બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સે વિદ્યાર્થીઓ માટે હજારો સ્ટાન્ડર્ડ ક્લબની સ્થાપના કરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો