CM Ganesh Puja: ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ ગણેશ ઉત્સવમાં સહભાગી થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
CM Ganesh Puja: મુખ્યમંત્રીએ વિવિધ સ્થળોએ ગણેશ સ્થાપનમાં જઈને ભગવાન શ્રી ગણેશના ભક્તિભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી
અમદાવાદ, 19 સપ્ટેમ્બરઃ CM Ganesh Puja: ગણેશ ચતુર્થીના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પોતાના વિધાનસભા મત ક્ષેત્ર ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ સાર્વજનિક ગણેશઉત્સવના જનઉમંગમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.
ભૂપેન્દ્ર પટેલે પાટીદાર ચોક- ઘાટલોડીયા, ગુરુકુળના મહારાજા- ગુરુકુળ રોડ, સરદાર ચોક- વસ્ત્રાપુર ખાતેના ગણેશ સ્થાપનમાં જઈને ભગવાન શ્રી ગણેશના દર્શન કરી આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતિનભાઈ પટેલ તથા વિવિધ વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement