CM Visit Mahatma mandir: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમૃત આવાસ ઉત્સવ અને વિવિધ વિકાસ કામોના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યું
CM Visit Mahatma mandir: ભુપેન્દ્ર પટેલે મહાત્મા મંદિરમાં બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓ માટેની વ્યવસ્થાઓ તેમજ સ્ટેજ વગેરેનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું
ગાંધીનગર, 11 મેઃ CM Visit Mahatma mandir: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આવતીકાલે મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા અમૃત આવાસ ઉત્સવ અને વિવિધ વિકાસ કામોના કાર્યક્રમની અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યું હતું.
ભુપેન્દ્ર પટેલે મહાત્મા મંદિરમાં બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓ માટેની વ્યવસ્થાઓ તેમજ સ્ટેજ વગેરેનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, તેમજ સંબંધિત વિભાગોના અગ્ર સચિવઓ, સચિવઓ પણ મુખ્યમંત્રી સાથે આ પૂર્વ તૈયારીઓ ના નિરીક્ષણ માં જોડાયા હતા.