cyclone effect in gujarat: વાવાઝોડામાં મૃત્યુ થયેલા લોકોના આંકમાં વધારો, મૃતક આંક વધીને 53 થયો..!
ગાંધીનગર, 20 મેઃcyclone effect in gujarat: ચક્રવાત તાઉતેએ ગુજરાતમાં મોટા પ્રમાણમાં પ્રલય મચાવ્યો છે.રાજ્યમાં પ્રવેશ કર્યા બાદથી અંદાજે ૨૮ કલાક સુધી સર્જેલી તબાહીમાં ગુરુવાર સુધીમાં તાઉતેએ ૫૩ લોકોનો ભોગ લીધો હોવાનું રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન અભિયાન કેન્દ્રએ જણાવ્યું છે.રાજ્યના ગીર સોમનાથના ઉનામાં સોમવાર મધરાતે દસ્તક આપ્યા બાદ અંદાજે ૨૮ કલાક સુધી ચક્રવાત તાઉતેએ પ્રલય મચાવ્યો હતો.
રાજ્યના આપત્તિ(cyclone effect in gujarat) વ્યવસ્થાપન અભિયાન કેન્દ્રના કમિશ્નર હર્ષદ પટેલના જણાવ્યા અનુસાર તાઉતેના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૩ લોકોના મોત થયા છે.બુધવારે નોધાયેલા ૪૫ લોકોના મોતના આંકડો વધીને ગુરુવારે ૫૩ થયો હતો.ચક્રવાતની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં થઇ છે જ્યાં ૧૫ લોકોના મોત થયા છે.જે પૈકી ભાવનગર અને ગીર-સોમનાથ જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં ૮-૮ લોકોએ જીવ ગુમાવ્યા છે.જયારે અમદાવાદમાં ૫,ખેડામાં બે, આણંદ, વડોદરા, સૂરત, વલસાડ, રાજકોટ,નવસારી અને પંચમહાલમાં એક-એક લોકોએ ચક્રવાતમાં જીવ ગુમાવ્યા છે.
અધિકારીના જણાવ્યા અનુસાર વાવાઝોડા(cyclone effect in gujarat) દરમિયાન ૨૪ લોકોના મોત દીવાલપડવાના લીધે થયા હતા જયારે ૬ લોકોના મોત વૃક્ષ પડવાથી થયા હતા. આ ઉપરાંત ૫-૫ લોકોના મોત ઘર પડવાથી અને કરંટ લાગવાથી તો ૪ લોકોના મોત છત પડવાથી અને ૧ નું મોત ટાવર પડવાથી થયું હતું. ઉલ્લેખનીય છે કે તાઉતે વાવાઝોડાંના લીધે ગુજરાતના અનેક જિલ્લાઓમાં સોમવાર મધરાતથી મંગળવાર રાત સુધી ભારે પવન સાથે વરસાદ પડયો હતો.જેના લીધે અનેક જાનમાલનું નુકશાન થયું હતું સાથે સાથે ખેતીને પણ પારાવાર નુકશાન થવા પામ્યું છે.
આ પણ વાંચો….