pgvcl dhagdhra

Dedication program of newly constructed divisional office of PGVCL: સમગ્ર ભારતમાં માથાદીઠ વીજ વપરાશ 1100 યુનિટ છે જ્યારે ગુજરાતમાં 2100 યુનિટ…

Dedication program of newly constructed divisional office of PGVCL: ધ્રાંગધ્રા ખાતે રૂપિયા ૧.૨૦ કરોડ થી વધુના ખર્ચે નવનિર્મિત પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, 19 મે: Dedication program of newly constructed divisional office of PGVCL: ધ્રાંગધ્રા ખાતે નાણા મંત્રી કનુભાઇ દેસાઇ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં રૂપિયા ૧.૨૦ કરોડથી વધુના ખર્ચે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની નવનિર્મિત વિભાગીય કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે સર્જાયેલી કટોકટી છતાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના આગોતરા આયોજનના લીધે રાજ્યમાં નિયમિત અને સતત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં માથાદીઠ વીજવપરાશ ૧૧૦૦ યુનિટ છે, જ્યારે ગુજરાતમાં આ માથાદીઠ વીજ વપરાશ ૨૧૦૦ યુનિટ છે. …મંત્રીએ ઉમેર્યું હતું કે, ધ્રાંગધ્રામાં નવનિર્મિત વિભાગીય કચેરીથી આ વિસ્તારના વીજ ગ્રાહકોને સારી સેવાઓ પૂરી પાડવામાં આવશે.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. ઉર્જા ક્ષેત્રે ગુજરાતે સમગ્ર દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે ગામડાઓના અંતરિયાળ વિસ્તાર સુધી નિયમિત વીજપુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, ધ્રાંગધ્રા વિસ્તારમાં નવીન વિભાગીય કચેરીના નિર્માણ થવાથી પ્રજાલક્ષી કામોમાં વેગ આવશે અને લોકોને વીજળીને લગતી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બનશે. …

આ પ્રસંગે પુર્વ મંત્રી આઇ.કે.જાડેજા જણાવ્યું હતું કે, વીજળી ક્ષેત્રે અનેક લાભો આજે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો સુધી સુલભતાથી પહોંચ્યા છે. વીજળીકરણની વ્યવસ્થાઓના કારણે કૃષિ અને વીજક્ષેત્રે સૌરાષ્ટ્ર વધુ સમૃદ્ધ બન્યું છે. આ તકે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વરુણ કુમાર બરનવાલે સ્વાગત પ્રવચન કર્યુ હતું અને સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર વી. જી. મારકણા એ આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે અગ્રણી જગદીશભાઈ મકવાણા, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરે, ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કલ્પનાબેન રાવલ, તાલુકા પંચાયત પ્રમુખ જીગ્નેશભાઈ, અગ્રણીઓ સર્વ ગાયત્રીબા, હસમુખભાઈ અને દર્શનાબેન તેમજ પી.જી.વી.સી.એલના અધિકારી/ કર્મચારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો..PM Addressing a Yuva Shivir: પાટોત્સવ પ્રસંગે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચુંઅલ રહ્યા ઉપસ્થિત

Gujarati banner 01