Fire AAP Corporators bungalow: સુરતના મોટા વરાછામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના બંગલામાં લાગી આગ, 17 વર્ષીય દિકરાનું મોત નીપજ્યુ
Fire AAP Corporators bungalow: આગની ઘટનામાં કોર્પોરેટરનો 17 વર્ષીય દીકરો પ્રિન્સ રૂમમાં જ ફસાઈ જતા ગંભીર રીતે દાજી ગયો
સુરત, 08 માર્ચઃ Fire AAP Corporators bungalow: સુરતના મોટા વરાછામાં આવેલ આનંદધારા સોસાયટીમાં મોડી રાતે આગની ઘટના બની હતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુભાઈ કાછડીયાના બે માળના બંગલામાં રાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટનામાં કોર્પોરેટરનો 17 વર્ષીય દીકરો પ્રિન્સ રૂમમાં જ ફસાઈ જતા ગંભીર રીતે દાજી ગયો હતો. તેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ટૂંકી સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પ્રિન્સના મોતને પગલે પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થયા છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો