News Flash thambnail

Four death in car fall in well: મોરબીમાં કાર કૂવામાં પડતાં ચારનાં મોત

Four death in car fall in well: વસ્ત્રાલમાં રહેતો પરિવાર રજા માણવા સોમનાથ ગયો હતો

અમદાવાદ, ૦૮ નવેમ્બર: Four death in car fall in well: ગુજરાતના મોરબીમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. કાર કૂવામાં પડી જતાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. મૃતકો તમામ અમદાવાદના રહેવાસી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Four death in car fall in well: મળતી માહિતી મુજબ અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહેતા રતિભાઈ ભવાનભાઈ પ્રજાપતિ તેમના પરિવાર સાથે રજા માળવા માટે સોમનાથ-દ્વારકા ફરવા ગયા હતા. રતિભાઈ ગઈકાલે રાત્રે વાંકાનેરથી મકનસર ગામે તેમના સંબંધીના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન કણકોટ ગામ પાસે ઇકો કાર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની બાજુના કુવામાં પડી હતી. પરિવારના વડા રતિભાઈ, તેમનો પુત્ર દિનેશભાઈ પ્રજાપતિ કોઈ રીતે કારમાંથી બહાર નીકળ્યા હતા.

આ પણ વાંચો: Paytm IPO: દેશનો સૌથી મોટો ખુલ્યો IPO,જાણો રોકાણ કરવું જોઈએ કે નહીં?

Advertisement

જોકે કારની પાછળ બેઠેલા તેમના પત્ની મંજુલાબેન પ્રજાપતિ, પુત્રવધૂ મીનાબેન અને બે પૌત્રો આદિત્ય અને ઓમના મોત થયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો. પોલીસે ક્રેનની મદદથી મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. આ પછી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

Whatsapp Join Banner Guj

Advertisement