anil joshiyara

Gujarat congress MLA anil joshiyara passed away: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાનું લાંબી માંદગી બાદ નિધન

Gujarat congress MLA anil joshiyara passed away: અનિલ જોશિયારા લાંબા સમયથી બીમાર હતા, જ્યાં આજે તેમણે ચેન્નાઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

અમદાવાદ, ૧૪ માર્ચ: Gujarat congress MLA anil joshiyara passed away: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનું 69 વર્ષની વયે નિધન થયું છે. અનિલ જોષીયારા ઘણા સમયથી બીમાર હતા. અનિલ નું ચેન્નાઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં આજે તેમણે અંતિમ શ્વાસ (Gujarat congress MLA anil joshiyara passed away) લીધા હતા. ડૉ. અનિલ જોષીયારાના વતન ભિલોડામાં તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. ગત જાન્યુઆરીના રોજ અનિલ કોરોના સંક્રમિત થયા હતા.

કોરોના સંક્રમિત થયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાને ગયા મહિને સારવાર માટે ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જોકે, લાંબી માંદગી બાદ આજે તેમનું અવસાન (Gujarat congress MLA anil joshiyara passed away) થયું હતું. મૃત્યુના સમાચાર મળતા જ તેમના સમર્થકો અને પરિવારજનોમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું.

આ પણ વાંચો: Additional coaches will be installed in two trains of Rajkot division: રાજકોટ ડિવિઝનની બે ટ્રેનોમાં લાગશે વધારાના કોચ

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભિલોડા મત ક્ષેત્રના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના ચૈન્નાઇ ખાતે સારવાર દરમિયાન થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સદ્દગત ડૉ. જોષીયારાને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું છે કે ડૉ. જોષીયારાએ આદિજાતિ સમાજ અને પોતાના મત ક્ષેત્ર સહિત સૌના લોક પ્રશ્નોની રજૂઆતો તથા નિવારણ માટે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે આપેલું યોગદાન સદાકાળ અવિસ્મરણીય રહેશે.

મુખ્યમંત્રીએ દિવંગત ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી છે. તેમણે સદગતના શોક સંતપ્ત પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે.

Gujarati banner 01