કોંગ્રેસના સમર્થનમાં વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં ૪૮ ગામમાં પ્રચાર કરવા હાર્દિક પટેલે(Hardik patel) રેલીનું કર્યુ આયોજન
વિરમગામ, 25 ફેબ્રુઆરીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છ મહાનગરોમાં કોગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ગામ વિસ્તારો કોંગ્રેસનો પ્રચાર કરવા માટે હાર્દિક પટેલ(Hardik patel) આજે અમદાવાદ જિલ્લામાં વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં ૪૮ ગામના લોકોની હાજરીમાં જન સંપર્ક માટે રેલીનું આયોજન કર્યું હતું. હાર્દિકે અહીં પાર્ટીના ઉમેદવારને જંગી મતોથી વિજય બનવાનો સંકલ્પ કર્યો. હાર્દિક પટેલે કહ્યું, `નળકાંઠા વિસ્તારના તમામ ગામડાઓના વિકાસ માટે હું કામ કરતો રહીશ, તમામ ગામોની જનતાના સુખ દુઃખમાં ભાગીદાર બનવાનો પ્રયાસ કરીશ.’
આ પણ વાંચો…