સ.સં. ૧૧૮૫ સફાઈ કામદારોને કાયમી હુકમ એનાયત

જેતપુર:૫૮ રોજિંદા સફાઈ કામદારોને કાયમી હુકમ એનાયત કરતા મંત્રીશ્રી

સ.સં. ૧૧૮૫ સફાઈ કામદારોને કાયમી હુકમ એનાયત

રાજકોટ, તા. ૧૧, ઓગસ્ટ – જેતપુર નવાગઢ નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા ૫૮ રોજમદાર સફાઇ કામદારોની દરખાસ્ત સરકારમાંથી મંજૂર થઈને આવતા આ  રોજિંદા  સફાઇ કામદારોને  કાયમીના હુકમો અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

        આ પ્રસંગે મંત્રી શ્રી જયેશ ભાઈ રાદડિયા એ કાયમી થતાં સફાઈ કામદારો ને શુભેચ્છાઓ પાઠવી તેમની કામગીરી થકી શહેરને વધુ સ્વચ્છ – સુંદર બનાવવા અનુરોધ કર્યો હતો.

સ.સં. ૧૧૮૫ સફાઈ કામદારોને કાયમી હુકમ એનાયત 2

        આ પ્રસંગે ચીફ ઓફિસર શ્રી નવનીત ભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી કુસુમબેન સખરેલિયા, શ્રી સુરેશભાઈ સખરેલિયા, શ્રી જયસુખભાઇ ગુજરાતી, શ્રી રાજુભાઈ ઊસદડીયા, પૂર્વ પ્રમુખશ્રી રમાં મકવાણા, અગ્રણી શ્રી વિપુલભાઈ સચાણીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માટે જેતપુર નગરપાલિકાના  શ્રી દિપકભાઈ પટોળીયાએ જહેમત ઉઠાવી હતી.

સંકલન:ગુજરાત માહિતી બ્યુરો, રાજકોટ