ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-2003 રજૂ થયેલો લવ જેહાદ(Love jehad)નો કાયદો આજથી અમલમાં- વાંચો સંપૂર્ણ અહેવાલ
ગાંધીનગર, 15 જૂનઃLove jehad: ગુજરાતમાં બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરવા જેવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે ગત ચોમાસુ વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય( સુધારા) અધિનિયમ-2003 રજૂ કરાયુ હતું. આ લવ જેહાદનો કાયદાનો તા,15મી જૂનથી ગુજરાતમાં અમલ થશે.
વિધાનસભામાં રજૂ કરાયેલાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અિધનિયમને કાયદા(Love jehad)ના સ્વરૂપમાં મંજૂરીની મહોર લાગી છે. જોકે,મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.15મી જૂનથી આ કાયદાનો અમલ કરવા જાહેરાત કરી હતી.
આ કાયદામાં સુધારા સાથે એવી જોગવાઇ કરાઇ છેકે, માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરાયેલાં લગ્ન ફેમીલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે.કોઇપણ વ્યક્તિ કપટ,બળપૂર્વક આૃથવા લાલચ આપી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં. આ ગુનામાં મદદ કરનાર કે સલાહ આપનારને પણ સમાન પ્રકારે દોષિત ગણવામાં આવશે.
આ કાયદા હેઠળ ગુનેગારને ચારથી માંડીને સાત વર્ષની કેદ ઉપરાંત ત્રણ લાખ સુધીની દંડ થશે. ગુજરાતમાં વડોદરા સહિત અન્ય વિસ્તારમાં બળજબરીથી લગ્ન કરાવી ધર્મ પરિવર્તનના કિસ્સા વધતાં ખુદ ભાજપના ધારાસભ્યોએ જ સરકારમાં રજૂઆત કરી હતી જેના પગલે યુપીની જેમ ગુજરાતમાં ય લવ જેહાદ(Love jehad)નો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો…