vijay Rupani CM Gujarat

Savarkundla truck accident: સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર ટ્રક દુર્ઘટના; મુખ્યમંત્રી રૂપાણીએ પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની આર્થિક સહાયની કરી જાહેરાત

Savarkundla truck accident: અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર ટ્રક દુર્ઘટનાથી શોક અને અને ઊંડા આઘાતની લાગણી અનુભવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

  • પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની આર્થિક સહાયની જાહેરાત

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ
ગાંધીનગર, ૦૯ ઓગસ્ટ
: Savarkundla truck accident: અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ત્વરિત અને યોગ્ય મદદ પૂરી પાડવા વહીવટીતંત્રને સૂચનાઓ. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા નજીક એક ટ્રક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી જવાથી થયેલી કમનસીબ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અત્યંત શોકની લાગણી વ્યક્ત કરી છે.

Savarkundla truck accident: દુઃખ અને આઘાત સાથે સંવેદના પ્રગટ કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત યોગ્ય મદદ પુરી પાડવા વહીવટીતંત્રને તમામ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની આર્થિક સહાયની જાહેરાત પણ કરી છે.

આ પણ વાંચો…Amdavad civil Spine surgery: ખાનગી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ છતા રિજાલ્ટ જીરો; અમદાવાદ સિવિલ ટીમે જટિલ અને જોખમી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ આખીયે કમનસીબ ઘટનાની તાત્કાલિક તપાસ કરીને અહેવાલ મોકલવા અમરેલી કલેકટર ને આદેશો આપ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઈશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સદગતના આત્માને ચિર શાંતિ આપે એ માટે પ્રાર્થના કરી છે.

Whatsapp Join Banner Guj