CM Bhupendra patel 600x337 1

Swagat Online Public Grievance Redressal Program: જાન્યુઆરી મહિનાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે યોજાશે

Swagat Online Public Grievance Redressal Program: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જાન્યુઆરી મહિનાનો ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે ગુરૂવાર તા. ૨૫મી જાન્યુઆરીએ બપોરે ૧૨:૩૦ કલાકે યોજાશે

  • અરજદારો પોતાની રજૂઆત સવારે ૭:૩૦ થી ૧૦ દરમિયાન આપી શકશે

ગાંધીનગર, 24 જાન્યુઆરીઃ Swagat Online Public Grievance Redressal Program: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ આવતીકાલે તા.૨૫ જાન્યુઆરીએ બપોરે ૧૨:૩૦ કલાકે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સ્વર્ણિમ સંકુલ-૨, મુખ્યમંત્રી જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.

આ રાજ્ય ‘સ્વાગત’માં રજૂઆત માટે અરજદારો પોતાની અરજી ગુરુવારે તા. ૨૫મી જાન્યુઆરીએ સવારે ૭:૩૦ થી ૧૦ કલાક દરમિયાન મુખ્યમંત્રીનું જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આપી શકશે. દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીનો રાજ્યકક્ષાનો ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સામાન્યતઃ બપોરે ૩:૦૦ કલાકે યોજાતો હોય છે.

ગુરૂવાર, તા. ૨૫મી જાન્યુઆરીનો ‘સ્વાગત’ કાર્યક્રમ નિર્ધારીત સમયથી વહેલો એટલે કે બપોરે ૧૨:૩૦ કલાકે યોજાવાનો છે તેની સૌ સંબંધકર્તાઓને નોંધ લેવા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચો… Ramlala Darshan News: પ્રથમ દિવસે 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા રામલલાના દર્શન, પ્રશાસને ઉપાડ્યું આ મોટું પગલું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો