Swaraj 75 Mission: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા સ્વરાજ 75 મિશન ની ઉજવણી કરાશે.
Swaraj 75 Mission: જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના રાષ્ટ્રીય હોદેદારો ની હાજરી માં યીજવામાં આવી પ્રેસ કોનફરન્સ, આગામી કાર્યક્રમો વિશે માહિતગાર કરાયા.
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૮ ઓગસ્ટ: Swaraj 75 Mission: જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોનફરન્સ માં પરિસદના રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાના હોદેદારો હાજર રહ્યા હતા.
આગામી (Swaraj 75 Mission) 15 ઓગસ્ટના દેશ આઝાદીના 74 વર્ષ પૂર્ણ કરી 75 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાતના 10 હજાર ગામડાં ઓમાં 40 હજાર કાર્યકર્તાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે તેમજ વર્ષ દરમિયાન અનેકવિધ દેશ ભક્તિના કાર્યકમો યીજવામાં આવશે તેવું અજયભાઈ પ્રજાપતિ રાષ્ટ્રીય કારોબારી સદસ્ય એ.બી.વી.પી. એ જણાવ્યું હતું.