Arjun Modwadia

ભાજપાએ હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા. : અર્જુનભાઈ મોઢવાડીયા

  • ‘અંતિમધામ’ હિન્દુ ધર્મની આસ્થા સાથે જોડાયેલ હોવા છતા ભાજપાએ હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા. : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા
  • ભાજપાના ગતિશીલ ભ્રષ્ટાચારે ‘અંતિમધામ’ ને પણ ભરખી ગયો : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા.
  • હોસ્પીટલો, શાળા, જાહેર સંપત્તિમાં ભ્રષ્ટાચાર આચરનાર ભાજપના જનપ્રતિનિધિઓ હવે ‘અંતિમધામ’ ના નાણાં પણ ચાઉં કરી રહ્યા છે : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા
  • સુરત મહાનગરપાલિકા તાત્કાલીક ‘અંતિમધામ’ નો ટ્રસ્ટ પાસેથી કબજો લઈને કામગીરી પૂર્ણ કરે: શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા
  • ગેરરીતિ આચરનાર, ગ્રાન્ટનો દુરૂપયોગ કરનાર સામે સુરત કોર્પોરેશન જ ફોજદારી ફરિયાદ નોંધાવે: શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા

અમદાવાદ, ૨૬ સપ્ટેમ્બર: ‘અંતિમધામ’ ના નામે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ૬.૪૧ કરોડ જેટલી માતબર રકમ ખાસ કિસ્સામાં મંજૂર કરવામાં આવી. ત્યારે, સુરતના નાગરિકોના ટેક્ષના નાણાં ‘અંતિમધામ’ ના નામે ચાઉં કરી જનાર ભાજપાના જનપ્રતિનિધીઓ સામે સ્પષ્ટ પુરાવા હોવા છતાં શા માટે પગલા ભરવામાં આવતા નથી ? તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ‘અંતિમધામ’ હિન્દુધર્મની આસ્થા સાથે જોડાયેલ હોવા છતાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપાના જનપ્રતિનિધિઓએ ‘અંતિમધામ’ના કરોડો રૂપિયા જાહેર નાણાંમાં ગેરરીતિ આચરી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લીંબાયત વિસ્તારમાં આધુનિક સ્મશાન ભૂમિ બનાવવા માટે ‘અંતિમધામ હિન્દુ સ્મશાન ભૂમિ’ સંસ્થા નામથી રજિસ્ટર્ડ થયેલી સંસ્થાને જમીન પર બાંધકામ માટે રૂ. ૬.૪૧ કરોડ ની માતબર રકમ મંજુર કરવામાં આવી હતી જેમાં રૂ. ૪.૦૫ કરોડ ભાજપાના લીંબાયત વિસ્તારના ધારાસભ્ય જેના ટ્રસ્ટી છે તે ટ્રસ્ટને ચુકવી દેવામાં આવ્યા છે. બાંધકામ માટે ૨૦ થી ૩૦ ટકાનું જ થયું હોય તો બાકીના નાણાં ક્યાં ગયા ? કામમાં કોઈ પ્રગતિ સધઈ ન હોવા છતાં વર્ષ ૨૦૨૦માં રૂ. ૨૨.૭૯ લાખ મંજૂર કરવામાં આવ્યા. ભાજપાના ગતિશીલ ભ્રષ્ટાચારે ‘અંતિમધામ’ ને પણ ભરખી ગયો. હોસ્પીટલો, શાળા, જાહેર સંપત્તિમાં ભ્રષ્ટાચાર આચરનાર ભાજપના જનપ્રતિનિધિઓ હવે ‘અંતિમધામ’ ના નાણાં પણ ચાઉં કરી રહ્યા છે.

ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ અને પૂર્વ કાઉન્સીલર શ્રી નિતિન ભરૂચાએ તમામ પુરાવા સાથે લેખિત ફરિયાદ છતાં આજ દિન સુધી કેમ પગલા ભરવામાં આવ્યા નથી ? કોના રાજકીય દબાણથી પોલીસ તપાસ કરતી નથી ? સુરત કોર્પોરેશન પાસે વ્યવસ્થાતંત્ર, જમીન, એન્જીનિયરો તમામ હોવા છતાં ટ્રસ્ટ પાસે ‘અંતિમધામ’ સોંપવા પાછળ માત્રનો માત્ર ભાજપાના ધારાસભ્ય અને નજીકના લોકો ટ્રસ્ટી હોવાથી જ ગોઠવાયું હોવાનું દસ્તાવેજો પરથી સ્પષ્ટ થાય છે ત્યારે, સુરત મહાનગરપાલિકા તાત્કાલીક લીંબાયત ખાતેના અંતિમધામનું કામ ટ્રસ્ટ પાસેથી પાછું લઈ ‘અંતિમધામ’ નું નિર્માણ કરે. મહાનગરપાલિકામાં શાસન પણ ભાજપનું અને જે ટ્રસ્ટને ૬.૪૧ કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ ‘અંતિમધામ’ માટે અપાઈ તે ટ્રસ્ટના ટ્રસ્ટી પણ ભાજપના ધારાસભ્ય, શું આ મેળાપીપણાં નથી ?

Banner City 1

સ્મશાનભૂમિની આડમાં કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર આચરવાના ‘કચ્ચા ચિઠ્ઠા’ ખૂલ્લા પડી ગયા છતાં ભાજપાનું મોવડી મંડળ કેમ ચૂપ છે ? હિન્દુઓની આસ્થા ‘અંતિમધામ’ ના બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર – ગેરરીતિ છતાં શાસકો કેમ પગલા ભરતા નથી ? ભાજપાના લિંબાયત વિસ્તારના ધારાસભ્યશ્રી ‘અંતિમધામ હિન્દુ સ્મશાનભૂમિ ટ્રસ્ટ’ ના ટ્રસ્ટી છે. સાથોસાથ અન્ય સભ્યો પણ ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષના નજીકના વહીવટકર્તા છે. ત્યારે સુરતના લીંબાયત વિસ્તારના ‘અંતિમધામ’ માં ગેરરીતિ આચરનાર સામે તાત્કાલીક પગલા ભરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ માંગ કરી છે.

loading…