Tiranga rally in ahmedabad: હર ઘર ત્રિરંગા અભિયાન અનુસંધાને અમદાવાદમાં રેલીનું આયોજન
Tiranga rally in ahmedabad: અમદાવાદ શહેર ના ચાણક્યપુરી માં રેલી નું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ, ૧૨ ઓગસ્ટ: Tiranga rally in ahmedabad: સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન દેશભરમાં કરવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આઝાદી ના ૭૫ વર્ષ ના અવસરે આપવામાં આવેલ “હર ઘર ત્રિરંગા” અભિયાન અનુસંધાને, અમદાવાદ શહેર ના ચાણક્યપુરી માં રેલી નું આયોજન કરવામાં આવ્યું.
અહીં ચાણક્યપુરી વિસ્તાર ની સુમતિ વિદ્યાવિહાર શાળા તથા ધર્મ હિન્દી શાળા દ્વારા, આસપાસ ના વિસ્તાર ના લોકો ને રાષ્ટ્રભક્તી સાથે આ અભિયાન મા સહભાગિ બનાવવા એક વિશાળ રેલી નું આયોજન કરવામાં આવેલ. આ અનુસંધાને શાળા ના ૭૦૦ થી વધારે વિધાર્થીઓ આ રેલી મા વિવિધ વેશભુશા સાથે જોડયેલ.
આ પણ વાંચો: Tiranga yatra in ahmedabad: અમદાવાદના ઇન્દિરાબ્રિજથી નિકળી તિરંગા યાત્રા, નડાબેટ ખાતે જવાનોનું કરાશે સન્માન