Ujjain fire incident: ઉજ્જૈનના મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન લાગી આગ, દરેક પીડિતને 1 લાખની સહાય અને મફત સારવાર, CMએ કરી જાહેરાત
Ujjain fire incident: મહાકાલ મંદિરમાં ભસ્મ આરતિમાં મુખ્ય પૂજારી સંજય ગુરુ, વિકાસ પૂજારી, મનોજ પૂજારી, અંશ પુરોહિત, સેવક મહેશ શર્મા અને ચિંતામન ગેહલોત અને અન્ય ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા
નવી દિલ્હી, 25 માર્ચઃ Ujjain fire incident: હોળીના દિવસે એટલે કે આજે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પૂજારી સહિત 12 લોકો દાઝી ગયા હોવાની માહિતી છે. ભસ્મ આરતી વખતે અબીર-ગુલાલ ચઢાવવામાં આવતો હતો. દરમિયાન આગ લાગી ગઇ હતી.આ ઘટના બાદ દાઝી ગયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલ તમામની સારવાર ચાલી રહી છે.
હોળીનો તહેવાર હોવાથી વહેલી સવારથી ઉજ્જૈન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી. ભસ્મ આરતીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં એકઠા થયા હતા. મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન મુખ્ય પૂજારી અને 5 સહયોગી પૂજારી હાજર હતા. મહાકાલ મંદિરમાં ભસ્મ આરતિમાં મુખ્ય પૂજારી સંજય ગુરુ, વિકાસ પૂજારી, મનોજ પૂજારી, અંશ પુરોહિત, સેવક મહેશ શર્મા અને ચિંતામન ગેહલોત અને અન્ય ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
उज्जैन के महाकाल मंदिर में हुई दुर्घटना अत्यंत पीड़ादायक है। इस हादसे में घायल सभी श्रद्धालुओं के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 25, 2024
પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, “ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં જે દુર્ઘટના થઈ તે અત્યંત દુઃખદાયક છે. હું આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ ભક્તોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. “રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં રોકાયેલું છે.”
श्री महाकालेश्वर ज्योतिर्लिंग मंदिर में भस्म आरती के दौरान हुई दुर्घटना में घायलों के बेहतर उपचार की व्यवस्था के निर्देश दिए हैं, साथ ही घायलों को एक-एक लाख रुपए की सहायता राशि भी उपलब्ध कराई जाएगी।
बाबा महाकाल की कृपा से किसी प्रकार की बड़ी हानि नहीं हुई है, लेकिन भविष्य में… pic.twitter.com/HiiPSLalWn— Dr Mohan Yadav (Modi Ka Parivar) (@DrMohanYadav51) March 25, 2024
ઉલ્લેખનીય છે કે, CM મોહન યાદવે ઉજ્જૈન મંદિર ઘટનાના દરેક પીડિતને 1 લાખ રૂપિયાની સહાય અને મફત સારવારની જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ Holi Special Features: ગુજરાતના આ શહેરમાં થાય છે દુનિયાનો સૌથી મોટો હોલિકા ઉત્સવ- વાંચો વિગત
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો