Alia-Ranbir stopped entering the Mahakal temple: બજરંગ દળના કાર્યકરોએ રણબીર-આલિયાને ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા, જય શ્રી રામના નારા લગાવ્યા
Alia-Ranbir stopped entering the Mahakal temple: ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ દ્વારા ‘બીફ’ ખાવા અને ‘બ્રહ્માસ્ત્ર’ જોવા અંગે કરેલી કથિત ટિપ્પણીને લઈને તેમને રોક્યા
મનોરંજન ડેસ્ક, 07 સપ્ટેમ્બરઃAlia-Ranbir stopped entering the Mahakal temple: છેલ્લા કેટલાય સમયથી બોલિવુડની ફિલ્મો બોયકોટનો શિકાર થઇ રહી છે. તેવામાં હવે બ્રહ્માસ્ત્ર બોયકોટનો ટ્રેન્ડ શરુ થઇ ગયો છે. આલિયા અને રણબીરની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે તેવામાં આલિયા રણબીર અને અયાન મુખર્જી ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શનેથી તેમની અટકાયત કરવામાં આવી.
વાત એમ છે કે, બજરંગ દળના કાર્યકર્તાઓએ મંગળવારે રાત્રે મધ્યપ્રદેશના ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ દ્વારા ‘બીફ’ ખાવા અને ‘બ્રહ્માસ્ત્ર’ જોવા અંગે કરેલી કથિત ટિપ્પણીને લઈને તેમને રોક્યા હતા.
મહાકાલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, પ્રદર્શનકારીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લાઠીચાર્જ કર્યા બાદ પણ પ્રદર્શનકારીઓએ દંપતીને મંદિર પરિસરમાં પ્રવેશ કરવા દીધો નહોતો.