Rhea Chakraborty Filmybuzz

Rhea shares note after sushant sister statement: સુશાંતની બહેન પ્રિયંકા સિંહે દાવો કર્યો કે, તેના ભાઈએ આત્મહત્યા નથી કરી- રિયાએ આપ્યો આ જવાબ

Rhea shares note after sushant sister statement: હાલમાં સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, રિયા ચક્રવર્તીએ તેના ભાઈની જિંદગી બગાડી દીધી છે.

મનોરંજન ડેસ્ક, 16 જુલાઇઃ Rhea shares note after sushant sister statement: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદથી અત્યાર સુધી રિયા ચક્રવર્તી અવારનવાર ચર્ચામાં રહે છે. સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ મુંબઈના બાંદ્રામાં પોતાના એપાર્ટમેન્ટમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ કેસમાં રિયા ચક્રવર્તીએ જેલની હવા પણ ખાધી છે. હાલમાં સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, રિયા ચક્રવર્તીએ તેના ભાઈની જિંદગી બગાડી દીધી છે. હવે રિયાએ પોતાના અંદાજમાં આ વાતનો જવાબ અપ્યો છે. 

રિયા ચક્રવર્તીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક મેસેજ લખ્યો છે. માનવામાં આવે છે કે, તેણે આ મેસેજ પ્રિયંકા માટે શેર કર્યો છે. રિયા લખ્યું હતું કે, ‘લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો, અહંકારથી દૂર રહો, એટલા દૂર રહો કે કોઈ તમારી ઉપર આંગળી ન ચીંધી શકે. તમે તમારા માટે કમ્પ્લીટ છો. તમે જેવા છો એવા જ પ્રેમાળ છો’.

Rhea Chakraborty shares cryptic post after Sushant Singh Rajput's sister  accuses her of ruining actor's life | People News | Zee News

સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહે પોતાના ભાઈના મૃત્યુ અંગે ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, તેના ભાઈએ આત્મહત્યા નથી કરી. પ્રિયંકાએ કહ્યું હતું કે, જ્યારે સુશાંતનું મૃત્યુ થયું તે રૂમમાં ગઈ ત્યારે જ તેને સમજાયું કે તેના ભાઈએ આત્મહત્યા કરી નથી.

આ પણ વાંચોઃ Teesta Setalvad case update: BJP નેતાએ કહ્યું ‘અહેમદ પટેલ માત્ર એક નામ, પાછળ છે સોનિયા ગાંધી’- તો બીજી તરફ અહેમદ પટેલની દીકરીએ આરોપો નકાર્યા

આ સિવાય પ્રિયંકાએ કહ્યું હતું કે, ‘વર્ષ 2019માં જ્યારે સુશાંતના જીવનમાં રિયા આવી ત્યારથી તેની જિંદગી બગડવા લાગી હતી. મારા જીવનમાં પહેલીવાર મારી અને મારા ભાઈ વચ્ચે સમસ્યાઓ હતી. આ બધું માત્ર 6 દિવસમાં થયું હતું. જ્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું હતું કે, શુ તમને લાગે છે કે રિયાને સુશાંતના જીવનમાં કોઈ હતુથી મોકલવામાં આવી છે. તેણીએ કહ્યું હતું કે, હા ચોક્કસથી.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના અવસાનને 2 વર્ષ થઈ ગયા છે. સુશાંતના અવસાનથી માત્ર તેનો પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ઈન્ડસ્ટ્રી સાથે તેના ચાહકો પણ આઘાતમાં છે. હાલમાં NCBએ સુશાતના કેસને લઈને તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને અભિનેત્રીના ભાઈ શોવિક સહિત 34 લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેના પર વર્ષ 2020માં પ્રતિબંધિત વસ્તુઓ પ્રાપ્ત કરવાનો આરોપ છે. જેના કારણે દિવંગત અભિનેતાને ડ્રગની લત લાગી હતી. એવું પણ કહેવામાં આવ્યું છે કે, તેની ચૂકવણી અભિનેતાના ખાતામાંથી જ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Civil Hospital OPD Visit Schedule: અમદાવાદ સિવિલ હોસ્પિટલ કયા દિવસે કઇ ઓ.પી.ડી. સેવા કાર્યરત છે? જાણી લો આ ખાસ માહિતી…

Gujarati banner 01