anant ambani

Anant Ambani: અનંત અંબાણીએ કર્યો ખુલાસો, એ ક્યારેય નહતો કરવા માંગતો લગ્ન- જાણો શું છે કારણ?

Anant Ambani: જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં આગામી 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાનું છે

મુંબઇ, 29 ફેબ્રુઆરીઃ Anant Ambani: અંબાણી પરિવારના મોટા પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં આગામી 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાનું છે. ત્યારે અનંત અંબાણીએ એક ઈન્ટરવ્યૂમાં રાધિકા મર્ચન્ટ માટે પોતાના દિલની વાત કરી છે. 

આ પણ વાંચોઃ Loksabha Elections 2024 :PM મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક, આવતીકાલે 120-125 ઉમેદવારોની પ્રથમ યાદી થઈ શકે જાહેર 

મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ માટે પોતાના દિલની વાત કરી છે. રાધિકા મર્ચન્ટના વખાણ કરતા અનંત અંબાણીએ કહ્યું કે, રાધિકાને પામીને હું ખુશ થયો છું. તે મારા સપનાની રાણી છે. બાળપણમાં મેં વિચાર્યુ હતું કે, હું ક્યારેય લગ્ન નહિ કરું. કારણ કે, હું મારું જીવન હંમેશા પ્રાણીઓ માટે સમર્પિત કરવા માંગતો હતો. પરંતુ જ્યારે હું રાધિકાને મળ્યો, ત્યારે મેં જાણ્યું તે મારા જેવી જ છે. તેમાં પણ પ્રાણીઓ પ્રતિ ઉદારતા અને પાલન-પોષણની ભાવના છે. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો